ધાનેરામાં પ્રમુખ-ઉપપ્રમુખ સામેની અવિશ્વાસ દરખાસ્તનો ફિયાસ્કો

ધાનેરામાં પ્રમુખ-ઉપપ્રમુખ સામેની અવિશ્વાસ દરખાસ્તનો ફિયાસ્કો

ધાનેરા તા.10

બનાસકાંઠા જિલ્લાની ધાનેરા નગરપાલિકાના  વર્તમાન પ્રમુખ ઉપપ્રમુખ સામે  રજૂ થયેલ અવિશ્વાસની  દરખાસ્ત નો આજે ફિયાસ્કો થયો હતો. જેમાં ભાજપના ૧૨ નગરસેવકો સામે કોંગ્રેસના ૧૬ સદસ્યોએ હાથ ઊંચા કરી મતદાન કરતાં રકાસ થયો હતો. 

ધાનેરા નગરપાલિકાના ૧૧ ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો એ નગરપાલિકાના પ્રમુખ જગલ બેન ઠાકોર તેમજ ઉપ પ્રમુખ શંકરભાઈ પટેલ વિરુદ્ધ ત્રણ મુદ્દા સાથે અવિશ્વાસની દરખાસ્ત ગત ૫ માર્ચના રોજ નગરપાલિકા ચીફ ઓફીસને રજૂ કરી હતી.ભારતીય જનતા પાર્ટીના નગરસેવકોએ પ્રમુખ તેમજ ઉપ પ્રમુખ પર  ત્રણ મુદ્દાને આવરી લઈ આક્ષેપો કર્યા હતા. જેને લઈ આજ રોજ ધાનેરા  નગરપાલિકા ખાતે સામન્ય સભા બોલવામાં આવી હતી.નગરપાલિકા ચીફ ઓફિસર એસ.એમ.અન્સારીની હાજરીમાં અવિશ્વાસ દરખાસ્તને લઈ મતદાન યોજાયું હતું .જેમાં વર્તમાન પ્રમુખ-ઉપપ્રમુખ સામે રજૂ થયેલ અવિશ્વાસની દરખાસ્તની તરફેણમા ભારતીય જનતા પાર્ટી ના ૧૨ નગરસેવકોએ હાથ ઊંચો કરી મતદાન કર્યું હતું.જેની સામે અવિશ્વાસ ની દરખાસ્ત ના વિરુદ્ધમા કોંગ્રેસ ના ૧૬ નગરસેવકોએ હાથ ઊંચો કરી મતદાન કરતા અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ શકી ન હતી.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3comIwO

0 Response to "ધાનેરામાં પ્રમુખ-ઉપપ્રમુખ સામેની અવિશ્વાસ દરખાસ્તનો ફિયાસ્કો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel