અમદાવાદમાં કોરોનાના નવા 96 કેસ નોંધાયા, એકનું મોત

અમદાવાદમાં કોરોનાના નવા 96 કેસ નોંધાયા, એકનું મોત


અમદાવાદ, તા.1 માર્ચ, 2021, સોમવાર

અમદાવાદ શહેરમાં સતત બે દિવસ સુધી સો ઉપરાંત કોરોનાના કેસ નોંધાયા બાદ સોમવારે કોરોનાના કેસની સંખ્યામાં આંશિક ઘટાડો નોંધાવા પામ્યો છે.સોમવારે નવા 96 કેસ નોંધાવાની સાથે એક વ્યકિતનું કોરોના સંક્રમિત થવાથી મોત થવા પામ્યું છે.

આ અંગે મળતી માહીતી મુજબ,અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ શરૂ થયું ત્યારથી અત્યારસુધીમાં કુલ 58830  કેસ નોંધાઈ ગયા છે.સોમવારે વધુ એક દર્દીનું મોત થતા ગત માર્ચથી અત્યાર સુધીમાં કુલ મળીને 2258 લોકોના કોરોના સંક્રમિત થવાથી મરણ થયા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની યાદી મુજબ,ગત માર્ચથી અત્યાર સુધીમાં કુલ 56251 લોકો કોરોના સંક્રમણથી મુકત થયા છે.શહેરમાં હાલની પરિસ્થિતિમાં કોરોનાના કુલ 313 એકટિવ કેસ નોંધાયેલા છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3uIXRfz

0 Response to "અમદાવાદમાં કોરોનાના નવા 96 કેસ નોંધાયા, એકનું મોત"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel