કોરોના વાયરસના બદલાયેલા સ્વરૂપથી તબીબો ચિંતિંત, દર 100 વ્યક્તિઓમાંથી 20 લોકોમાં....

કોરોના વાયરસના બદલાયેલા સ્વરૂપથી તબીબો ચિંતિંત, દર 100 વ્યક્તિઓમાંથી 20 લોકોમાં....

<p>અમદાવાદમાં દિવસને દિવસે કોરોનાની સ્થિતિ વિકરાળ બની રહી છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ (Ahmedabad) શહેરમાં કોરોના (corona virus)ના 602 કેસ નોંધાયા છે. કોરોનાના વધતા સંક્રમણના પગલે અમદાવાદ સિવિલમાં 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં 400 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. તો કોરોનાના બદલાયેલા સ્વરૂપથી તબીબોએ ચિંતા વ્યક્ત કરી છે.</p> <p>અમદાવાદ સ્થિત બી. જે. મેડિકલ કૉલેજના ઈંચાર્જ ડીન ડૉ. પ્રણવ શાહે દાવો કર્યો કે, દર 100 વ્યક્તિઓમાંથી 20 લોકોમાં સંક્રમણ ફેલાઈ રહ્યુ છે અને વાયરસના જિન્સમાં ફેરફારની શક્યતાને પગલે સંક્રમણ ઝડપથી ફેલાઈ શકે છે. જેના કારણે કેટલાક દર્દીઓના સેમ્પલ પુણે લેબોરેટરીમાં મોકલાયા છે.</p> <p>એક સમયે કોરાનાનું હોટસ્પોટ અને ડેથસ્પોટ રહેતા અમદાવાદ (Ahmedabad) શહેરમાં કોરોના (corona virus)ના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. અમદાવાદ શહેરમાં સતત ચોથા દિવસે 600થી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેર અને ગ્રામ્ય મળી કોરોનાના કુલ નવા 612 કેસ નોંધાયા છે. તો વધુ ત્રણ દર્દીઓના મૃત્યુ સાથે અમદાવાદ શહેરમાં કુલ મૃત્યુઆંક 2 હજાર 348 પર પહોંચ્યો છે.</p> <p>નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 2252 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 8 લોકોના કોરોના (Corona)&nbsp; સંક્રમણથી મૃત્યુ થયાં હતા. ગઈકાલે રાજ્યમાં 1731 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.</p> <p>રાજ્યમાં અત્યાર સુધી 2,86,577&nbsp; લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.&nbsp; ચિંતાજનક વાત એ છે કે રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)નો આંકડો 12 હજારને પાર પહોંચ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસ 12041 પર પહોંચ્યા છે. જેમાંથી 149 લોકો વેન્ટિલેટર પર અને 11892 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.54 ટકા પર પહોંચ્યો છે.</p> <p><strong>કોરોનાથી ક્યાં કેટલા મોત થયા </strong><strong>?</strong></p> <p>ગઈકાલે અમદાવાદ કોર્પોરેશન(AMC)માં 3,&nbsp; સુરત કોર્પોરેશન(SMC)માં 3, પંચમહાલ 1 અને રાજકોટ કોર્પોરેશનમાં 1 મોત સાથે કુલ 8&nbsp; લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4500 લોકોના કોરોનાથી મોત થયા છે.</p> <p>આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 8 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા ગઈકાલે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1731 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,86,577&nbsp; છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 11528 છે.</p> <p><strong>ક્યાં કેટલા કેસ નોંધાયા&nbsp; </strong><strong>?</strong></p> <p>સુરત કોર્પોરેશનમાં 603, અમદાવાદ કોર્પોરેશનમાં 602, વડોદરા કોર્પોરેશનમાં 201 , રાજકોટ&nbsp; કોર્પોરેશનમાં 198, સુરત 74, રાજકોટ 44,&nbsp;&nbsp; ભાવનગર કોર્પોરેશન-36,&nbsp; વડોદરા 35, મહેસાણા 31, ખેડા 27, નર્મદા 26,&nbsp; જામનગર કોર્પોરેશન 25, મોરબી 25, પંચમહાલ 25, ગાંધીનગર કોર્પોરેશન 24, ભરૂચ 21, દાહોદ 21, ગાંધીનગર 20, અમરેલી 19, કચ્છ 18, મહીસાગર 17, આણંદ 16, સાબરકાંઠા 15, વલસાડ 14, સુરેન્દ્રનગર 13, પાટણ 12, અમદાવાદ 10, અરવલ્લી 9, ભાવનગર 9, જૂનાગઢ કોર્પોરેશન 9, ગીર સોમનાથ અને જામનગરમાં 8-8&nbsp; કેસ નોંધાયા હતા.</p> <p><strong>કેટલા લોકો ડિસ્ચાર્જ થયા </strong><strong>?</strong></p> <p>આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 8 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા ગઈકાલે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1731 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,86,577&nbsp; છે.</p> <p>સુરત કોર્પોરેશનમાં 503,&nbsp; અમદાવાદ કોર્પોરેશનમાં 577, વડોદરા કોર્પોરેશનમાં 137 , રાજકોટ&nbsp; કોર્પોરેશનમાં 115, સુરત 105, રાજકોટ 21, ભાવનગર કોર્પોરેશન-18,&nbsp; વડોદરા 14, મહેસાણા 7, ખેડા 22, નર્મદા 18,&nbsp; જામનગર કોર્પોરેશન 22, મોરબી 11 લોકો ડિસ્ચાર્જ થયા છે.</p> <p><iframe class="vidfyVideo" style="border: 0px;" src="https://ift.tt/3uaL8S1" width="631" height="381" scrolling="no"></iframe> <iframe class="vidfyVideo" style="border: 0px;" src="https://ift.tt/3dlTnDZ" width="631" height="381" scrolling="no"></iframe> <iframe class="vidfyVideo" style="border: 0px;" src="https://ift.tt/3w45kXk" width="631" height="381" scrolling="no"></iframe></p>

from gujarat https://ift.tt/3w6fOWp

Related Posts

0 Response to "કોરોના વાયરસના બદલાયેલા સ્વરૂપથી તબીબો ચિંતિંત, દર 100 વ્યક્તિઓમાંથી 20 લોકોમાં...."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel