
કસ્ટોડિયલ ડેથ સામે જનઆક્રોશ :મુંદરા સજ્જડ બંધ
મુંદરા ,તા.૮
મુંદરા તાલુકાના સમાઘોઘાના ૩ યુવાનોને ચોરીના શંકમદ તરીકે ઉઠાવી જઈને પોલીસ દ્વારા ગુજારેલા અમાનુષી અત્યાચારમાં શનિવારે વધુ એક યુવાનના મોત સાથે ચારણ સમાજના બે યુવકો ભરખાઈ જતાં રોષે ભરાયેલા સમાજે ફરાર પોલીસ કર્મચારીઓને પકડવાની માંગ સાથે ગઈકાલે મુંદરા અને તાલુકાને સજ્જડબંધનું એલાન કર્યું હતું. જેને આજે જબ્બર પ્રતિસાદ મળ્યો હતો, ન માત્ર ચારણ સમાજ પરંતુ તમામ સમાજના લોકોએ પોતાના ધંધા બંધ રાખીને નાસતા ફરતા પોલીસ કર્મચારીઓને પકડવાની માંગ સાથે શાંતિપુર્ણ રીતે યોજાયેલા શાંતિ સંમેલનમાં વિરોધ પ્રદર્શિત કર્યો હતો. કચ્છના અન્ય તાલુકામાં જ્યાંગઢવી સમાજની વસતી છે તે ગામો પણ બંધમાં જોડાતા જિલ્લામાં પોલીસની દાદાગીરી સામે લોકોએ ગાંધીગીરી અપનાવી હોવાનું ચિત્ર ઉપસ્યું હતું.
મળતી માહિતી મુજબ પશ્ચિમ કચ્છ પોલીસે આરોપીઓને ઝડપાથી પકડવા આપેલી ખાતરી બાદ મૃતદેહ પરિવારજનોએ સ્વિકારી અને અંતિમ સંસ્કાર કર્યા હતા. બીજીતરફ આજે મુંદરા અને તાલુકામાં બંધના એલાનને જબ્બર પ્રતિસાદ મળ્યો હતો. હજીસુાધી પોલીસ કર્મચારીઓની ધરપકડ થઈ ન હોવાથી આજે બંધના એલાનમાં વેપારી એસોસીએશન સહિત અન્યો સમાજ પણ જોડાઈને ન્યાયની ગુહાર લગાવી હતી. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ બંધને પ્રતિસાદ મળ્યો હતો. કચ્છમાં જ્યાં ચારણસમાજની વસતી છે તેવા અનેક ગામો બંધ રહ્યા હતા. લખપત તાલુકાના વર્માનગર, એકતા નગર, સોનલનગરમાં શાંતિપુર્વક બંધનું પાલન કરાયું હતું.નાની- મોટી દુકાનો તેમજ પાનગલ્લા સહિતના વેપારીઓએ સહયોગ આપ્યો હતો. બીજીતરફ સમાઘોઘા ખાતે અહિલ કચ્છ ચારણસભા દ્વારા શાંતી સંમેલન યોજાયું હતું. જેમાં સમાજના મોભીઓ, આગેવાનો કાર્યકરો સહિતના લોકો કચ્છભરમાંથી હાજર રહીને એકતાનો પરિચય આપ્યો હતો. પોલીસના ત્રાસાથી મૃતક બે યુવાનોને અંજલી આપવાની સાથે આગામી સમયમાં કેવા પ્રકારની રણનિતી ઘડવી તેના પર ચર્ચા કરાઈ હતી. આ મુદે કચ્છ ચારણ સભાના પ્રમુખ વિજય ગઢવીએ તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, અમાનુષી અત્યાચારમાં બે પરીવારના કુળદિપક બુઝાઈ ગયા છે ત્યારે સરકાર,નેતા અને પોલીસ નિષ્ક્રીયતા દાખવી રહી છે. અમે આક્રોશને દબાવી બેઠા છીએ ત્યારે મૃતકોના પીડીત પરીવારને તાથા ઘાયલ યુવકને ન્યાય સાથે યોગ્ય આિાર્થક વળતર ચુકવાય તેમજ ટ્રાયલ ચાલે ત્યાં સુાધી પિડિત પરીવારોને રક્ષણ અપાય તેવી માંગણી મુકી હતી.
મુંદરા બંધના એલાનમાં મુંદરા ઉપરાંત ઝરપરા, નાની-મોટી ભુજપુર, બોરાણા, મંગરા, શેખડીવા, મોટી ખાખર, ભાડીયા, બાડા, નાના કપાયા, મોટા કાંડાગરા, કોડાય-રાયણ, દેશલપર, નવી નાળ, શીરાચા સહિતના અનેક ગામો જોડાયા હતા. તો બીજીતરફ મુંદરા તાલુકાના વિવિાધ સમાજ જેવા કે , મહેશ્વરી સમાજ, ક્ષત્રિય સમાજ, મુસ્લિમ સમાજ, રબારી સમાજ, આહિર સમાજ, બ્રહ્મ સમાજ, જૈનસમાજ, કોળી સમાજ , ગોસ્વામી સમાજ , ખાખરા સમાજ, દેવીપુજક સમાજ, સોની સમાજ, દરજી સમાજ, સુમરા સમાજ, લોહાણા સમાજ સહિતના જ્ઞાતિ બંધુઓ એલાનને સમાર્થન આપીને ન્યાયની માંગણી કરી હતી. બંધના પગલે મુંદરા શહેર તેમજ તાલુકામાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.
ચૂંટાયેલા નિંભર નેતાઓ અંજલિ આપવા ડોકાયા નહીં
સમાઘોઘા સાથે મૃતક યુવાનોને ચારણ સમાજ સહિત અન્ય સમાજે અંજલી આપી હતી.પરંતુ સત્તાલોલુપ અને પોતાના સ્વાર્થ સિવાય તમામને નિમ્ન ગણતા રાજકીય પક્ષના સત્તાઆરૃઢ નેતાઓ કોઈ ફરક્યા ન હતા. કોઈપણ મુદાને માત્ર ને માત્ર પોતાના સ્વાર્થ માટે જ ચગાવતા કચ્છના આ ચુંટાયેલા નેતાઓ મૃતકોને અંજલી આપવા પણ મુનાસિબ ગણ્યું ન હતું. ત્યારે પદભુખ્યા તમામ મોટા નેતાઓનું ચારિત્ર્ય લોકો સમક્ષ ખુલ્લુ પડી ગયું હતું. આ અંગે ચારણ સમાજના પ્રમુખે રોષ સાથે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, આ સમગ્ર કાંડ માટે જેટલી પોલીસ જવાબદાર છે તેટલા જ આ રાજકીય નેતાઓ જવાબદાર છે. તેઓ પ્રશાસન અને પ્રોઝીસર પર દોષનો ટોપલો ઢોળીને છટકી ન શકે. તેઓ જ પોસ્ટીંગ કરાવે અને વહીવટ કરે છે ત્યારે આવી ઘટનાઓ સમયે આગળ આવીને લોકોને જોડે રહેવાના બદલે પોતાની બખોલમાં સંતાઈ ગયા છે. ગઈકાલે જ્યારે ચુંટણીનો બહિષ્કાર કરવાની વાત કરાઈ ત્યારે ઘટનાને ધારાસભ્યો-સાંસદે ફરજિયાત વખોડવાનું નાટક કરવું પડયું . બાકી જ્યારે આજે હજારો લોકોની હાજરીમાં મૃતકોને અંજલી આપવાની હતી ત્યારે પ્રચારસભાઓ માટે દોડાદોડી કરતા આ ચુંટાયેલા નેતા પૈકી એકપણ જણને હાજર રહેવાની તસ્દી લીધી ન હતી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3oWEgVe
0 Response to "કસ્ટોડિયલ ડેથ સામે જનઆક્રોશ :મુંદરા સજ્જડ બંધ"
Post a Comment