મામલતદારથી માંડી GAS કેડરના અધિકારીઓની સામૂહિક બદલી

મામલતદારથી માંડી GAS કેડરના અધિકારીઓની સામૂહિક બદલી


અમદાવાદ, તા. 22 જાન્યુઆરી, 2021, શુક્રવાર

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડધમ વાગવાના શરૂ થઇ ગયા છે ત્યારે સરકારે ડેપ્યટી કલેક્ટરથી માંડી મામલતદારસંવર્ગના અધિકારીઓની સામૂહિક બદલીના ઓર્ડર કર્યા છે. 

જેમાં મામલતદાર સંવર્ગ-2ના વિવિધ જિલ્લાના કલેક્ટર કચેરીના 20 મામલતદારની જુદા-જુદા જિલ્લાઓમાં બદલી કરાઇ છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગર પાલિકા તથા નગર પાલિકાઓ સહિતની સ્થાનિક સ્વરાજની આગામી ચૂંટણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી મામલતદાર સંવર્ગ-2ના અધિકારીઓને બદલીથી નિમણૂકના સ્થળે વધારાનો ચાર્જ આપવપામાં આવ્યો છે.

આ ઉપરાંત સરકારના રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા આજે ગુજરાત એડમિનિસ્ટ્રેશન સર્વિસ કેડરના ક્લાસ-1 અધિકારીઓની સાગમટે બદલીઓના પણ ઓર્ડર કરવામાં આવ્યા છે.

અમદાવાદ, જૂનાગઢ, ગાંધીનગર, મોરબી, ભાવનગર, નર્મદા, નવસારી, આણંદ અને ખેડા સહિતના વિવિધ જિલ્લાના ડેપ્યુટી કલેક્ટર, આસિસ્ટન્ટ કમિશ્નર તથા જિલ્લા ચૂંટણી અધિકારી અને પૂરવઠા અધિકારી સહિતના વિવિધ કેડરના અધિકારીની આગામી ચૂંટણીને અનુલક્ષીને બદલી કરવામાં આવી છે.

સરકારના ઠરાવ પ્રમાણે આ તમામ બદલીઓ પરની નિમણૂકો આગામી ચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે. અમદાવાદના પ્રોટોકોલ ડેપ્યુટી કલેક્ટર જે.બી. બારૈયાની એડિશ્નલ સ્પેશિયલ લેન્ડ એક્વિજીશન ઓફિસર તરીકે બદલી કરવામાં આવી છે.

તેઓએ હાલના હોદ્દા પર વધારાનો ચાર્જ સંભાળવાનો રહેશે. અમદાવાદ મ્યુનિ. કોર્પો.ના મિડ ડે મીલ ડેપ્યુટી કલેક્ટર જે.સી. પંડયાની ઔડામાં એસ્ટેટ ઓફિસર તરીકે બદલી કરવામાં આવી છે. અમદાવાદ કલેક્ટર કેચરીના એ.એચ. શેરશિયા બિન ખેતિ મામલતદારની ઔડામાં મામલતદાર તરીકે નિમણૂક કરાઇ છે.

ગુજરાત સરકારે જિલ્લા સહકારી રજિસ્ટ્રારની બદલીઓ કરી

અમદાવાદના રજિસ્ટ્રારને નડિયાદ ખસેડવામાં આવ્યા નવસારી જિલ્લા રજિસ્ટ્રારને વલસાડમાં મૂક્યા

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 22 જાન્યુઆરી, 2021, શુક્રવાર

ગુજરાત સરકારના કૃષિ અને સહકાર ખાતા સાથે સંકળાયેલા જિલ્લા સહકારી રજિસ્ટ્રારની બદલીઓ કરવામાં આવી છે. કુલ મળીને 38 જિલ્લા રજિસ્ટ્રારની બદલીઓ કરવામાં આવી છે. અમદાવાદના જિલ્લા રજિસ્ટ્રાર ઉર્વશી બ્રહ્મભટ્ટની નડિયાદ જિલ્લા રજિસ્ટ્રાર તરીકે બદલી કરવામાં આવી છે. 

વડોદરાના જિલ્લા રજિસ્ટ્રાર એસ.આર. પટેલને દોહાદ જિલ્લા રજિસ્ટ્રાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.આણંદ જિલ્લા રજિસ્ટ્રાર એ.પી. અસારીને સાબરકાંઠા જિલ્લા રજિસ્ટ્રાર તરીકે મૂકવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લાના રજિસ્ટ્રાર એ.સ.ી ચૌધરીને નર્માદા જિલ્લાના રજિસ્ટ્રાર તરીકે મૂકવામાં આવ્યા છે.

રાજકોટ-2ના જિલ્લા રજિસ્ટ્રાર (ઇન્સ્પેક્શન) એન.આઈ. પટેલની નિમણૂક નડિયાદ જિલ્લા રજિસ્ટ્રાર (ફડચા) તરીકે કરવામાં આવી છે. મોરબી જિલ્લા રજિસ્ટ્રાર સંગીતા રૈયાણીને અમદાવાદ જિલ્લા રજિસ્ટ્રાર તરીકે મૂકવામાં આવ્યા છે. તેમ જ જૂનાગઢના જિલ્લા રજિસ્ટ્રાર આર.પી. ખરાડીને બદલીને બનાસકાંઠાના જિલ્લા રજિસ્ટ્રાર બનાવવામાં આવ્યા છે. ભાવનગર જિલ્લા રજિસ્ટ્રાર ડી.વી. ગઢવીને મોરબીમાં જિલ્લા રજિસ્ટ્રાર તરીકે શિફ્ટ કરવામાં આવ્યા છે. 

ભુજના જિલ્લારજિસ્ટ્રાર જીએસ સોલંકીને અમદાવાદ જિલ્લામાં જિલ્લા રજિસ્ટ્રાર (દૂધ ફોલોઅપ) તરીકે મૂક્યા છે. હિમ્મતનગરના જિલ્લારજિસ્ટ્રાર એસ.બી. ચૌહાણને સુરેન્દ્રનગરમાં જિલ્લા રજિસ્ટ્રાર તરીકે મૂક્યા છે.  એન.જી.પટેલને નાયબ રજિસ્ટ્રાર વહીવટ-ગાંધીનગરથી બદલીને ગોધરા જિલ્લારજિસ્ટ્રાર તરીકે મૂક્યા ચે. તેમ જ સી.બી. કોટેચાને ગાંધીનગરમાં નાયબ રજિસ્ટ્રાર (દૂધ ફોલોઅપ)તરીકે મૂક્યા છે. જે.એસ. શાહને મેનેજર ખાદી -ભુજના હોદ્દા પરથી ખસેડીને જિલ્લારજિસ્ટ્રાર પોરબંદર તરીકે મૂક્યા છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LVv1ap

0 Response to "મામલતદારથી માંડી GAS કેડરના અધિકારીઓની સામૂહિક બદલી"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel