
જામખંભાળિયામાં નિશા ગોંડલિયા પર ફાયરિંગ કરનારા બે શખ્સોે ઝડપાયા
અમદાવાદ,ગુરૃવાર
જામનગરમા એડવોકેટ ં કિરીટ જોષીના મર્ડર કેસમાં સાક્ષી રહેલા જામખંભાળીયાના નિશાબહેન ગોંડલીયા પર ગોળીબાર કરનારા બે શખ્સોને પોલીસે અમદાનાદના ઉજાલા સર્કલ પાસેથી પિસ્ટલ સાથે ઝડપી લીધા હતા.
અમદાવાદમાં સરખેજ ઉજાલા સર્કલ પાસેથી એટીએસની ટીમે પિસ્ટલ સાથે અટક કરી
જામનગરમાં એડવોકેટ કિરીટ જોષીના મર્ડર કેસમાં નિશાબહેન ગુલાબદાસ ગોંડલીયા સાક્ષી હતા. તેમને સાક્ષીમાંથી હટી જવા માટે અને કોઈ પુરાવા રજુ ન કરવા માટે સ?પાલસિંહ દ્વારા ધમકીઓ આપવામાં આવી હતી. આથી નિશાબહેને વાડીનાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેની અદાવત રાખીને જયેશ પટેલ તથા તેના ભાગીદાર યશપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજાએ તથા તેમના મળતીયાઓએ જામખંભાળીયા આરાધના ધામ પાસે નિશાબહેન સિધ્ધિ હોટેલમાંથી જમવાનું પાર્સ લઈને કારમાં બેસવા જતા હતા ત્યારે બે શખ્સોએ બે રાઉન્ડ ફાયર કર્યા હતા. જેમાં એક રાઉન્ડ નિશાબહેનની વરના કારમાં લાગ્યો હતો અને એક રાઉન્ડ હવામાં પાયર કર્યો હતો. તે સિવાય રિવોલ્વરના બટ્ટથી નિશાબહેનના માથામાં ઈજા પહોંચાડી હતી.
આ સંદર્ભે એટીએસની ટીમે તપાસ કરીને સરખેજના ઉજાલા સર્કલ પાસેથી જામનગરના રહેવાસી અયુબ એ.દરજાદા(૩૬) અને મુકેશ ઉર્ફે સિંધી જે.શર્મા(૩૯)ની ઈનોવા કાર અને લાયસન્સ વગરની પિસ્ટલ સાથે અટક કરી હતી.
પુછપરછમાં તેમણે પોલીસને કહ્યું હતું કે જયેશ પટેલ તથા યશપાલ જાડેજા સાથે જામનગરના બિલ્ડર જીતેન્દ્ર ઉર્ફે લાલાભાઈ ગોરીયા તથા નિશાબહેન ગુલાબદાસ ગોંડલીયાને આર્થિક લેવડદેવડ બાબતે ઝઘડો ચાલતો હતો. આ બાબતે બન્ને ઉપર ફરિયાદ કરવા માટે નિશાબહેને યશપાલ જાડેજાના નાના ભાઈના લગ્ન હોઈ તે જ દિવસે પોતાના પર ફાયરિંગ કરાવડાવી તેનો આરોપ જયેશ પટેલ અને યશપાલ જાડેજા પર નાંખવા માટે થઈને જીતેન્દ્ર ગોરીયા ઉપર નિશાબહેને દબાણ કર્યું હતું. જેમાં જીતેન્દ્ર ગોરીયાએ પોતાના ડ્રાઈવર અયુબ દરજાદા તથા મુકેશ સિંધીને ુસ્ટિલ તથા ઈનોવા કાર આપીને ફાયરિંગ કરવા જણાવ્યું હતું. આથી આરોપીઓએ પ્લાનીંગ મુજબ નિશાબહેન પર ફાયરિંગ કર્યું હતું, એમ પોલીસે જણાવ્યું હતું.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LsZwEb
0 Response to "જામખંભાળિયામાં નિશા ગોંડલિયા પર ફાયરિંગ કરનારા બે શખ્સોે ઝડપાયા"
Post a Comment