
અમીરગઢના જેસોર અભ્યારણમા તંત્ર દ્વારા પક્ષીઓની ચકાસણી
અમીરગઢ,તા.09 જાન્યુઆરી 2021, શનિવાર
પક્ષીઓમાં બ્લડ ફ્લૂ નામનો રોગ દેખા દેતા ગુજરાતમાં તેનો પગપેસારો ન થાય તે માટે તંત્ર હરકતમાં આવી ગયેલ છે અને અમીરગઢમાં જાસોર અભયારણ્ય મા તેની તપાસ કરવામાં આવી રહી છે.
અમીરગઢમાં આવેલ વિશાળ જંગલ ધરાવ તા જેસોર અભ્યારણમાં વન ચર પ્રાણીઓ વધારે પ્રમાણમાં વસવાટ કરી રહ્યા છે જયારે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પક્ષીઓમાં બ્લડ ફ્લૂ નામનો ચેપી રોગ આવી જતા તે રોગ ગુજરાતમાં ન ફેલાય તે માટે દરેક પ્રાણી સંગ્રાલયો અને જંગલમાં છૂટા છવાયા વિચારતા પ્રાણીઓની તંત્ર દ્વારા જીનવતભરી તપાસ કરવામાં આવી રહી છે એથી અમીરગઢ મા આવેલ જેસર અભ્યારણ મા મોટા ભાગના પશુ પક્ષોલીઓ વસવાટ કરતા હોય તેઓની તપાસ આદરવામાં આવતા જંગલમાં બનાવેલ જંગલી પ્રાણીઓ માટે પીવાની પાણીના વ્યવસ્થા માટેના અવાડાઓ અને જંગલમાં તળાવો જ્યાં જંગલી પ્રાણીઓ પાણી અને ખોરાકની શોધમાં આવી જગ્યાએ આવી જતા હોય છે આથી અન્ય રાજ્યોના પક્ષીઓ પણ આવી જવાની દહેસત થી અમીરગઢમાં જેશોર , કપાસિયા , બાલુન્દ્રા, સોનવાડી જેવા જંગલ વિસ્તારના ડેમો ઉપર તંત્ર રોજની વિઝિટ થાય છે પરંતુ હજુ સુધી કોઈ આવો શંકાસ્પદ પક્ષીઓ જે અન્ય રાજ્યોમાંથી આવત હોય તેવા જણાય નથી તેમ બાલુંદ્રા રેન્જ ના આર એફ ઓ જીગર મોદીએ જણાવ્યું હતું વધુમાં કે દાંતીવાડા ડેમ ઉપર વધારે પ્રમાણમાં પક્ષીઓ આવતા હોય છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2MPoFtj
0 Response to "અમીરગઢના જેસોર અભ્યારણમા તંત્ર દ્વારા પક્ષીઓની ચકાસણી"
Post a Comment