ધાનેરાની બે સોસાયટીના પાંચ મકાનોમાં ચોરીથી રોષ

ધાનેરાની બે સોસાયટીના પાંચ મકાનોમાં ચોરીથી રોષ

ધાનેરા,તા.17 જાન્યુઆરી 2021, રવિવાર

ધાનેરાના પૌરાણિક  સાંકડ ગામના નકલગ ભગવાનના મંદિરે અજાણ્યા તસ્કરો એ પ્રવેશ કરી ભગવાનના ચાંદીના ઘોડા સાથે દાન પેટી મા પડેલ રોકડ રકમ ની ચોરી કરી પાંચ જેટલા ઈસમો આરામ થી નીકળી ગયા હતા . સવારે એક અઠવાડિયા પછી રવિવારે પણ તસ્કરો એ પોતાનો નિયમ જાળવી રાખી ધાનેરા પોલીસને પડકાર ફેંકી ધાનેરા શહેરમા આવેલ બે અલગ-અલગ સોસાયટીના પાંચ મકાનોમાં હાથ ફેરો કર્યો છે.

ધાનેરા શહેરમા આવેલ ગોકુળ નગર સોસાયટી જાણે તસ્કરો ને ગમી ગઈ હોય તેમ અવાર નવાર ગોકુળ નગર સોસાયટીના મકાનોમા ચોરીઓ થતી આવી છે. ગોકુળ નગરમા રહેતા લોકો ઉતરાણ તહેવાર અને શની-રવિવારની રજાઓમાં પોતાના વતને કે સબધીના ઘરે ગયા હતા. આ તરફ ઘર બંધ થતાં ની સાથે કોઈ તસ્કરો ને સમાચાર આપતું હોય તેમ ગત શનિવાર ની રાત્રે બંધ ચાર મકાનો મા તાળું તોડી તસ્કરો એ અંદર પ્રવેશ કરી મકાન મા પડેલ મુદ્દામાલ ની ચોરી કરી ઈસમો ફરાર થઈ ગયા છે.બંધ ઘર હોવાથી કેટલી ચોરી થઈ તે જાણવા મળ્યું નથી પરંતુ ઘર મા પડેલ તમામ માલસામાન વેર વિખેર કરી મોબાઈલ લેપટોપ જેવી વસ્તુ કે જેના થી ચોરી પકડાઈ શકે આવી ચીજવસ્તુઓની ચોરી કરી ન હતી. પરંતુ અન્ય રોકડ રકમ તેમજ દાગીના ચોરી ગયા છે.

ઘોડા છૂટયા પછી તબેલાને તાળા જેવો પોલીસનો ઘાટ

ધાનેરા શહેરમાં આવેલ સુદર્શન સોસાયટીમાં પણ ચોરી નો બનાવ બન્યો હોવાની જાણ ધાનેરા પોલીસને કરાઈ છે. ઘરના મુખ્ય દરવાજા પર લાગેલા નાના તાળા ને ખોલી કોઈ ઇસમેં રોકડ રકમ કબાટ માંથી લઈ ગયો હોવાની જાણ સાથે ધાનેરા પોલીસ એ ઘર મા રહેતા ઈસમો ની પૂછપરછ હાથ ધરી છે. સુદર્શન સોસાયટીના મકાન મા થયેલ ચોરીનો ભેદ ઉકેલવા પોલીસે ઘોડા છૂટયા પછી તબેલાને તાળા જેવો ઘાટ ઘડયો છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3qxHgIG

0 Response to "ધાનેરાની બે સોસાયટીના પાંચ મકાનોમાં ચોરીથી રોષ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel