નાળોદરના ખેડૂતો નર્મદા કેનાલની જાતે સફાઈ કરવા મજબુર બન્યા

નાળોદરના ખેડૂતો નર્મદા કેનાલની જાતે સફાઈ કરવા મજબુર બન્યા

ઢીમા તા.30 જાન્યુઆરી 2021, શનિવાર

વાવ તાલુકાના સરહદી વિસ્તારના છેવાડાના વિસ્તારના ખેડૂતો જયારથી કેનાલો બનાવવામાં આવી છે ત્યારથી લઈને આજ દિવસ સુધી પરેશાનીઓ ભોગવી રહ્યા છે એક બાજુ છેવાડાના ખેડૂતોને પુરતા પ્રમાણમાં સિંચાઇ માટે પાણી નથી મળતું અને એક બાજુ કેનાલો ની સફાઇના અભાવે કેનાલો તૂટવાનો સિલસિલો બંધ થવાનું નામ નથી લેતો ત્યારે આજે વાવ તાલુકાના નાળોદર ગામના ખેડૂતો એ જે કામગીરી કરવા માટે લાખો રૃપિયાની ગ્રાન્ટ આવે છે તેમ છતાં આ કામગીરી ખેડૂતોને કરવાનો વારો આવ્યો છે 

વાવ તાલુકાના નાળોદર ડિસ્ટીબૂટર કેનાલ ના સ્ટક્ચરમાં કચરુ ભરાઈ જતા નર્મદા વિભાગના કર્મચારીઓને અનેક વખત રજૂઆતો કરવા છતાં આ કામગીરી કરવા માટે કર્મચારીઓ આંખ આડા કાન કરતા હોય તેવું દેખાઈ રહ્યું છે .જેથી કરીને ના છૂટકે આ કામગીરી ખેડૂતોને જાતે કરવી પડી રહી છે. ઉચ્ચકક્ષાએથી તપાસ કરવામાં આવે તો જ સત્ય બહાર આવે બાકી તો અત્યારે નમદા વિભાગના કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરોના પાપે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે જો કે સરહદી વિસ્તારની કેનાલોમાં સફાઈ કર્યા વગર પાણી છોડવામાં આવ્યું છે જેથી છેવાડાના ખેડૂતો સુધી પાણી મળતું નથી જેને લઇને ખેડૂતોને નર્મદા વિભાગના કર્મચારીઓ આગળ કેટલાય પ્રકારના નાટકો ભજવા પડયા છે .જોકે અગાઉ શરહદી વિસ્તારના ખેડૂતોને કેનાલોમાં પાણી ન મળવાના કારણે ઢોલ નગારા વગાડીને કેનાલોમાં હવન કરી ને તંત્રને જગાડવાનું કામ કરવામાં આવ્યું હતું. ત્યારે માંડ માંડ છેવાડાના ખેડૂતોને અડધી શિયાળુ સિઝન પૂરી થતા કોવરણ પાવા માટે પાણી મળ્યું હતું .



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YwIAjo

0 Response to "નાળોદરના ખેડૂતો નર્મદા કેનાલની જાતે સફાઈ કરવા મજબુર બન્યા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel