
બનાસકાંઠામાં સરકારી જમીન પચાડી પાડવા મામલે સૌ પ્રથમવાર બે ગુના નોંધાયા
પાલનપુર તા.09 જાન્યુઆરી 2021, શનિવાર
રાજ્યમાં ભુમાફિયાઓ દ્રારા સરકારી કરોડો રૃપિયાની જમીનો હડપ કરવામાં આવી રહી છે જેને લઈ દિવસે ને દિવસે ગૌચર તેમજ ખરાબા ની જમીનો દબાણ માં કેદ થઈ રહી છે .ત્યારે સરકારી જમીન ને બચાવી લેવા માટે રાજ્ય સરકાર દ્રારા તાજેતરમાં સરકારી જમીન પચાવી પાડતા તત્વો વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી કરવાનો કાયદો બનાવવામાં આવ્યો છે .જે કાયદા અંતર્ગત પાલનપુર તાલુકામાં સરકારી જમીન પર બિનઅધિકૃત કબ્જો કરવા અંગે સૌપ્રથમવાર એક સાથે બે ગુનો દાખલ થતાં દબાણદારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
રાજ્ય સરકાર દ્રારા સરકારી પડતર જમીનને બિન અધીકૂત હડપ થતી બચાવી લેવા માટે જમીનમાં પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ બહાર પાડવામાં આવ્યો છે .જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં સરકારી જમીન હડપ કરવા અંગે સૌપ્રથમ એક સાથે બે ગુના દાખલ થતાં ભુમાફિયાઓ માં ખળભળાટ મચી જવા પામ્યો છે .બનાસકાંઠા જિલ્લામાં સરકારી જમીન હડપ કરી બેઠેલા તત્વો સામે કાર્યવાહી શરૃ કરાઈ છે .જેમાં પાલનપુર તાલુકાના ભાગળ(જ) ગામે સરકારી જમીનના સર્વે નં ૬ માં જે.પી.માર્કેટિંગના વહીવટકર્તા અસદ ઉસ્માનભાઈ પટેલ અને જાવેદઉસ્માનભાઈ પટેલ બન્ને રહે.ભાગળવાળાએ ઔધોગિક હેતુ માટે બીનઅધિકુત પાકું બાંધકામ કરી ને ત્રણ ઓરડી બનાવી તેમાં સાબુ પાવડર નો સંગ્રહ કરવામાં આવતો હોય કાણોદર સેજના રેવન્યુ તલાટી મનીષાબેન હરગોવિંદ ભાઈ શાહે આ દબાણદારોને ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે નોટિસ આપવામાં હતી.
તેમ છતાં દબાણ દૂર કરવામાં ન આવતા આખરે રેવન્યુ તલાટી દ્રારા સરકારના જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ ૨૦૨૦ નો ભંગ કરવા બદલ જે.પી માર્કેટિંગના બે વહીવટકર્તા વિરુદ્ધ પાલનપુર તાલુકા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેમજ પાલનપુર તાલુકાના ગોળા ગામે પણ અંબાજી હાઇવે પર આવેલ કરોડો રૃપિયાની કિંમત ની સરકારી જમીન ઉપર ચાર શખ્સો દ્રારા બથામણીયો કબ્જો કરી પાકા સેડ માં હોટલ,કેબિન અને ઘાસચારા નું ગોડાઉન ચલાવવામાં આવતું હોય ગોળા સેજા ના રેવન્યુ તલાટી રમીલાબેન રામજીભાઈ ભૂતડીયાએ ગોળા ગામે સરકારી જમીન પર બીનઅધિકુત પાકો સેડ બનાવી તેમાં હોટલ શરૃ કરવા બદલ વડગામ તાલુકાના ધોરી ગામના સુરજશીંગ દરબાર, ગોળાના પ્રતાપજી દલજીજી ઠાકોર અને દબાણમાં કેબીન મૂકી ને ગલ્લો ચલાવતા ગોળા ના મજીદ નાગોરી તેમજ તારની વાડ કરીને અંદર ઘાસચારા નું વેચાણ કરતા અસ્માપુરાના લાલજીભાઈ રાણા વિરુદ્ધ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં સરકારી જમીન પચાવી પાડવા અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો છે .
સરકારી જમીન પર કબજો કરનાર છ શખ્સો સામે ફરિયાદ
ભાગળ(જ) ગામે સરકારી જમીન પર ઓરડીઓ બનાવનાર જે.પી. માર્કેટિંગના વહીવટકર્તા અસદ ઉસ્માનભાઈ પટેલ અને જાવેદઉસ્માનભાઈ પટેલ તેમજ ગોળા ગામે સરકારી જમીન માં હોટલ ચલાવનાર વડગામ ના ધોરી ગામના સુરજશીંગ દરબાર, ગોળાના પ્રતાપજી દલજીજી ઠાકોર,દબાણમાં કેબીન મૂકી ને ગલ્લો ચલાવતા ગોળાના મજીદ નાગોરી તેમજ તારની વાડ કરીને અંદર ઘાસચારા નું વેચાણ કરતા અસ્માપુરાના લાલજીભાઈ રાણા વિરુદ્ધ સરકારી જમીન પચાવી પાડવા અંગે ગુનો નોંધાયો છે .
દબાણદારો વિરુદ્ધ જમીન પચાવી પાડવા નો ગુનો દાખલ કરાશે
સરકાર ના જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ ૨૦૨૦ ની અમલવારી માટે તંત્ર દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં સરકારી જમીનમાં કરાયેલા દબાણના સર્વે અને માપણી બાદ એન્ટી લેન્ડ ગ્રેબિંગ કમિટીના આદેશ મુજબ વિવિધ સેજાના રેવન્યુ તલાટીઓ દ્રારા દબાણદારો વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા સામે ગુનો દાખલ કરાયો છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38uDnhO
0 Response to "બનાસકાંઠામાં સરકારી જમીન પચાડી પાડવા મામલે સૌ પ્રથમવાર બે ગુના નોંધાયા"
Post a Comment