મહેસાણા: નાળાના બાંધકામની કામગીરીના મામલે સ્થાનિકોમાં નારાજગી

મહેસાણા: નાળાના બાંધકામની કામગીરીના મામલે સ્થાનિકોમાં નારાજગી

મહેસાણા,તા.23 જાન્યુઆરી 2021, શનિવાર

મહેસાણાના તુલસીપાર્ક સોસાયટી જવાના રસ્તા પાસે વિસનગર ફાટક પર નિર્માણ થઈ રહેલ નાળાની કામગીરીને લઈ સ્થાનિક રહીશોમાં નારાજગી જોવા મળી રહી છે. નાળુ સાંકડુ બની રહેલ હોઈ ભવિષ્યમાં મોટા વાહનોને આવનજાવનમાં તકલીફ પડી શકે તેમ હોઈ નાળુ મોટુ બનાવવા માંગ કરવામાં આવી છે.

આ વિસ્તારમાં ફાટકની બીજી તરફ તુલસીપાર્ક, યોગેશ્વર, ગોકુલ ડુપ્લેક્ષ અને હાઉસીંગ બોર્ડના મકાનો આવેલા છે. આ વિસ્તારમાં ૨ હજારથી વધુ લોકો વસવાટ કરે છે અને આ લોકોનો રોજીંદો માર્ગ અહી વિસનગર ફાટક પાસેનો છે અને હાલમાં આ ફાટક નીચે રેલવે દ્વારા નાળાનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. જોકે નાળુ સાંકડુ અને નાનુ બનાવવામાં આવી રહ્યું છે. જેથી આ વિસ્તારના રહીશો વિમાસણમાં મુકાયા છે. કારણકે નાળુ સાંકડુ બની રહ્યું છે જેથી તેમાં બાઈક કે નાની કાર પસાર થઈ શકે પરંતુ ઈમરજન્સી વખતે ૧૦૮ કે ફાયરની ગાડી અહીંથી પસાર ન થઈ શકે. માટે લોકોમાં નારાજગી ઉભી થઈ છે અને નાળુ મોટુ બનાવાય તેવી માંગ પણ કરવામાં આવી છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2M2dnBI

0 Response to "મહેસાણા: નાળાના બાંધકામની કામગીરીના મામલે સ્થાનિકોમાં નારાજગી"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel