
બહુચરાજી માર્કેટયાર્ડમાં ચેરમેન અને વાઈસ ચેરમેન બિનહરીફ ચુંટાયા
ચાણસ્મા,તા.16 જાન્યુઆરી 2021, શનિવાર
બહુચરાજી માર્કેટયાર્ડના ઈતિહાસમાં પહેલીવાર યોજાયેલી ચુંટણીમાં ચેરમેન વિઠ્ઠલભાઈ લાટીવાળા પેનલે હરીફ પૂર્વ ગૃહમંત્રી અને ભાજપના હાલના પ્રદેશ મહામંત્રી રજની પટેલની પેનલનો સફાયો બોલાવ્યા બાદ આજે શનિવારે યોજાયેલી ચેરમેન અને વાઈસ ચેરમેનની ચુંટણીમાં પ્રથમ અઢી વર્ષ માટે ચેરમેન તરીકે ગણેશપુરાના પૂર્વ સરપંચ વિજયભાઈ પટેલ અને વાઈસ ચેરમેન તરીકે આદીવાડાના ગીતાબેન દેસાઈની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
માર્કેટયાર્ડ હોલમાં જિલ્લા રજીસ્ટ્રાર હિતેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ચુંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં ચેરમેનપદ માટે વિજયકુમાર ભરતભાઈ પટેલ અને વાઈસ ચેરમેનપદ માટેગીતાબેન નારણભાઈ દેસાઈના નામનું એક-એક ફોર્મ ભરાયું હતું. આથી બંનેને સર્વાનુમતે બિનહરીફ ચુંટાયેલા જાહેર કર્યા હતા. આ બંને હોદ્દેદારો તેમજ અગ્રણી વિઠ્ઠલકાકાનું સમર્થકો, વેપારીઓ સહિતે ફુલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું. યાર્ડના ચેરમેન વિઠ્ઠલભાઈ લાટીવાળાના અનુગામી બનેલા વિજય પટેલે મિડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે અમારૃ લક્ષ ખેડૂતોને પુરતા અને પોષણક્ષમ ભાવ મળી રહે તે જોવાનું અને પ્રાથમિકતા હાલનું યાર્ડ સાવ સાંકડુ પડતું હાઈવે પર અદ્યતન માર્કેટયાર્ડ બનાવવાની છે. આ માટે સરકારમાં જમીનની માંગણી કરીશું.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3nXLHv2
0 Response to "બહુચરાજી માર્કેટયાર્ડમાં ચેરમેન અને વાઈસ ચેરમેન બિનહરીફ ચુંટાયા"
Post a Comment