
થાન તાલુકાના નવા ગામ વિસ્તારમાં આશાવર્કર બહેનોનું મામતલદારને આવેદન
થાન, તા.25 જાન્યુઆરી 2021, સોમવાર
રાજ્યના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતાં થાન તાલુકાના નવાગામની આશાવર્કર અને ફેશીલીએટર બહેનોને થતાં અન્યાય બાબતે થાન ખાતે મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં પગાર વધારો તેમજ કાયમી કરવાની મુખ્ય માંગ કરવામાં આવી હતી અને મોટીસંખ્યામાં આશાવર્કર બહેનો જોડાઈ હતી.
થાન તાલુકાના નવાગામ વિસ્તારમાં આરોગ્યલક્ષી કામગીરી સાથે સંકળાયેલ આશાવર્કર બહેનો સતત કામગીરી કરી રહી છે તેમજ કોરોના પોઝીટીવ આવેલ લોકોના ઘરે ઘરે જઈ દવાઓ આપતાં કેટલીક બહેનો પણ કોરોનાનો ભોગ બની ચુકી છે પરંતુ ગામડાઓમાં ઘરે ઘરે જઈ આરોગ્યની સેવાઓ આપી છે ત્યારે આ કામગીરી માટે આશા વર્કર બહેનોને દૈનિક માત્ર એક સેશનના રૂા.૨૫ આપવામાં આવી રહ્યાં છે ત્યારે આટલી નજીવી રકમમાં આશાવર્કર બહેનોને પરિવારનું ગુજરાન ચલાવવામાં પણ હાલાકી પડી રહી છે છેલ્લા ઘણા વર્ષોથી તાલુકા હેલ્થ કચેરીમાં આરોગ્યલક્ષી કામગીરી કરી રહ્યાં હોવા છતાં તંત્ર દ્વારા ફીક્સ પગાર કે કાયમી પગાર પર રાખવામાં આવતાં નથી જેના કારણે હાલ કોરોનાની મહામારી તેમજ મોંધવારી દરમ્યાન પરિવારનું ગુજરાન ચલાવવામાં પણ હાલાકી પડી રહી છે જે અંગે અનેક રજુઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતાં અંદાજે ૨૦થી વધુ આશાવર્કર બહેનોએ થાન મામલતદાર એસ.વી.ચૌધરીને આવેદન પત્ર પાઠવ્યું હતું અને પગારવધારો તેમજ કાયમી કરવાની માંગ કરી હતી. તેમજ આગામી દિવસોમાં આ અંગે યોગ્ય નિર્ણય લેવામાં નહિં આવે તો ધરણા, આમરણાંત ઉપવાસ સહિતના કાર્યક્રમો આપવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3iJm1kK
0 Response to "થાન તાલુકાના નવા ગામ વિસ્તારમાં આશાવર્કર બહેનોનું મામતલદારને આવેદન"
Post a Comment