કોરોનાના 2.76 લાખ ડોઝનો પહેલો જથ્થો અમદાવાદ આવી પહોંચ્યો

કોરોનાના 2.76 લાખ ડોઝનો પહેલો જથ્થો અમદાવાદ આવી પહોંચ્યો


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 12 જાન્યુઆરી, 2020, મંગળવાર

આજે અમદાવાદ એરપોર્ટ પર કોરોના વેક્સિનનો 2 લાખ 76 હજાર જથ્થો આવી પહોંચ્યો હતો. રાજ્યના વિવિધ ભાગોમાં પહોંચાડવામાં આવશે.અમદાવાદ એરપોર્ટ પર કોવિડ શિલ્ડ વેક્સિનનો કુલ 2,76,000 જથ્થો અમદાવાદ  એરપોર્ટ ખાતે  આવી પહોંચ્યો છે.  અમદાવાદમાં આરોગ્ય મંત્રી નીતિન પટેલે અમદાવાદ એરપોર્ટ પર આ જથ્થો સ્વીકાર્યો છે. 

પૂણીની સિરમ ઇન્સ્ટિટયુટે ઓક્સફોર્ડ અને એરેકાઝેનકાના સહયોગમાં આ રસી વિકસાવી છે. આવતીકાલે સવારે સાત વાગ્યે રાજકોટમાં પૂણેથી ખાસ પ્લેનમાંકોરોનાની રસીનો બીજો જથ્થો આવશે, એમ પણ તેમણે જણાવ્યું હતું.

આ જ રીતે સુરતમાં પૂણેથી ભૂમિ માર્ગે કોલ્ડસ્ટોરેજની સુવિધા વાળા વાહનમાં કોરોનાની રસીનો જથ્થો લાવવામાં આવશે. પૂણેથી દસ કલાકમાં વાહન સુરત આવી શકે છે. પૂણેથી વડોદરામાં પણ વિમાન માર્ગે કે ભૂમિ માર્ગે કોરોનાની રસીનો જથ્થો આવશે. 16મી પહેલા આ તમામ વિસ્તારોમાં કોરોનાની રસીનો જથ્થો પહોંચાડ ીદેવામાં આવશે. 

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે પૂણેથી હવાઈમાર્ગે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોચેલ રસીના ડોઝના જથ્થાને આવતીકાલથી ગુજરાતના નાના શહેરો ઉપરાંત અંતરિયાળ વિસ્તારોમાં મોકલવાનું ચાલુ કરી દેવામાં આવશે. આ વેક્સિનનો જથ્થો  કુલ ત્રણ ઝોનમાં વિભાજિત થનાર છે. એક બોક્સમાં 12,000ના જથ્થા સાથે વેક્સિનના કુલ 23 બોક્ષ અત્રે આવી પહોંચ્યા છે.

ગાંધીનગર ઝોનમાં બનાવેલ સ્ટેટ વેક્સિન સ્ટોરમાં 8 બોક્સ એટલે કે 96 હજાર વેક્સિનના ડોઝ આવ્યા છે. ત્યારબાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલની પાસે રિજિયોનલ વેક્સિન સ્ટોરમાં 10 બોક્સ એટલે કે કુલ 1 લાખ 20 હજાર વેક્સિનનો જથ્થો પહોંચાડવામાં આવ્યો છે, જ્યારે ભાવનગર ઝોનમાં 5 બોક્સ એટલે કે 60 હજારનો જથ્થો પહોંચાડવામાં આવશે. ગ્રીન કોરિડોર મારફતે અભેદ્ય સુરક્ષા સાથે સમગ્ર વેક્સિનનો જથ્થો  જે તે ઝોન અને સ્થળ પર પહોંચતો કરવામાં આવ્યો છે. કોવિશિલ્ડ નામની આ રસીનો 0.5 એમએલનો ડોઝ આપવામાં આવશે. બીજો ડોઝ ચરથી છ અઠવાડિયામાંઆપવામાં આવશે. 

13 મી જાન્યુઆરીના રોજ પુનાથી મોટરમાર્ગે કોલ્ડ ચેન દ્વાર સુરતમાં 93,500 વેક્સિંનના ડોઝ,  વડોદરામાં 94,500 વેક્સિનના ડોઝનો જથ્થો નાગરિકો માટે પહોંચાડવામાં આવશે.

પ્રથમ તબક્કાના રસીકરણ કાર્યક્રમમાં રાજ્યના આરોગ્ય કર્મીઓ અને નાગરિકોને સરળતાથી વેક્સિન મળી રહે તે માટે સમગ્ર રાજ્યમાં 20 હજાર વેક્સિન કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. ગુજરાત રાજ્યના 4 લાખ 33 હજાર  સરકારી અને ખાનગી  આરોગ્ય સાથે સંકળાયેલા તબીબો, નસગ સ્ટાફ,પેરામેડિકલ સ્ટાફ, સફાઇ કર્મીઓમાં રસીકરણ પ્રાથમિક તબક્કે રસીકરણ કરવામા આવશે. 

16મી તારીખે સમગ્ર રાજ્યમાં રસીકરણની પ્રક્રિયાના પ્રાથમિક તબક્કા નો પ્રારંભ થસે. વડાપ્રધાન  નરેન્દ્રમોદી દ્વારા ગુજરાતના 287 રસીકરણ કેન્દ્રો  પર આરોગ્ય કર્મીઓ,તબીબો,નસગ, પેરામેડિકલ સ્ટાફ, દ્વારા વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સમગ્ર રસીકરણ કાર્યક્રમની ચર્ચા કરવામાં આવશે. અમદાવાદ અને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તબીબો સાથે વાતચીત કરીને રસીકરણની અસરકારક અમલવારી માટે પ્રોત્સાહન પુરંવ પાડવામાં આવશે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LHWLyX

0 Response to "કોરોનાના 2.76 લાખ ડોઝનો પહેલો જથ્થો અમદાવાદ આવી પહોંચ્યો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel