પેરામેડિકલમાં 18મીથી ચોથો રાઉન્ડ : સરકારી બેઠકો માટે થશે

પેરામેડિકલમાં 18મીથી ચોથો રાઉન્ડ : સરકારી બેઠકો માટે થશે


અમદાવાદ, તા. 15 જાન્યુઆરી, 2020, શુક્રવાર

પેરામેડિકલમાં ત્રણ રાઉન્ડ બાદ કેન્સલેશન અને નોન રિપોર્ટિંગ સાથેની ખાલી પડેલી સરકારી કોલેજોની બેઠકો માટે પ્રવેશ સમિતિ દ્વારા ચોથો રાઉન્ડ જાહેર કરવામા આવ્યો છે.જે 18મીથી શરૂ થશે. 

ધો.12 સાયન્સ પછીના નીટ વગરના નર્સિંગ,ફિઝિયોથેરાપી, ઓપ્ટોમેટ્રી, સહિતના 8 પેરામેડિકલ કોર્સમાં પ્રવેશ માટેની ઓનલાઈન સેન્ટ્રલાઈઝડ પ્રવેશ પ્રક્રિયામાં ત્રણ રાઉન્ડ પૂર્ણ થઈ ગયા છે. ત્રણ રાઉન્ડ બાદ ખાલી પડેલી ખાનગી કોલેજોની બેઠકો જે તે કોલેજની પોતાની રીતે ભરવા આપી દેવાઈ છે.

જ્યારે અનેક વિદ્યાર્થીઓએ પ્રવેશ રદ કરાવતા અને પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ રિપોર્ટિંગ ન કરાવતા હાલ સરકારીકોલેજોમાં 366 બેઠકો ખાલી પડી છે.જેમાં ફિઝિયોથેરાપીની 124 , ઓપ્ટોમેટ્રીની 10, ઓક્યુપેશનલ થેરાપીની 10 અને બાકીની બેઠકો  બીએસસી નર્સિંગ-જનરલ અને ઓક્ઝિલરી નર્સિંગની છે. 

પ્રવેશ સમિતિ દ્વારા ચોથો ઓનલાઈન રાઉન્ડ જાહેર કરાયો છે.જે માત્ર સરકારી કોલેજોની ખાલી બેઠકો માટે જ થશે.રાઉન્ડ કાર્યક્રમ મુજબ 18થી19મી સુધી વિદ્યાર્થીઓએ ઓનલાઈન કન્સેન્ટ આપી ચોઈસ ફિલિંગ કરવાનું રહેશે. 20મીએ  બપોરે 2 વાગે ઓનલાઈન સીટ એલોટમેન્ટ જાહેર થશે.

21મીથી22મી સુધી વિદ્યાર્થીઓએ ફી ભરવાની રહેશે સાંજે 4:30 સુધી હેલ્પ સેન્ટર ખાતે રિપોર્ટિંગ કરવાનું રહેશે. અગાઉના રાઉન્ડસમાં પ્રવેશ મેળવી ચુકેલા વિદ્યાર્થીઓએ પ્રવેશ રદ કરાવવો હોય તો 18થી19મી સુધી કરાવી શકાશે.19મી બાદ માત્ર આયુર્વેદ અને હોમિયોપેથીમાં જનારા વિદ્યાર્થીઓ જ પ્રવેશ રદ કરાવી શકશે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3suywVK

0 Response to "પેરામેડિકલમાં 18મીથી ચોથો રાઉન્ડ : સરકારી બેઠકો માટે થશે"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel