અમદાવાદમાં કોરોનાના વધુ 126 કેસ, બે દર્દીનાં મૃત્યુ

અમદાવાદમાં કોરોનાના વધુ 126 કેસ, બે દર્દીનાં મૃત્યુ


અમદાવાદ, તા. 11 જાન્યુઆરી, 2021, સોમવાર

અમદાવાદમાં કોરોનાના કેસોમાં રોજેરોજ ક્રમશઃ ઘટાડો નોંધાઈ રહ્યો છે. સરકારની યાદી મુજબ વધુ 126 લોકો કોરોનાની ઝપટમાં આવી ગયા છે. જયારે સારવાર દરમ્યાન બે દર્દીઓના કરૂણ મૃત્યુ થયા છે. તેમજ સાજા થઈ ગયેલાં 122 લોકોને જુદી જુદી હોસ્પિટલોમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

મ્યુનિ.ની હદમાં અત્યાર સુધીમાં કુલ 60201 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ગયા હતા. જેમાંથી 2218 દર્દીઓએ મહામૂલી જીંદગી ગુમાવી છે. જ્યારે 50686 લોકો કોરોનાને હરાવીને સાજા થઈ ગયા છે.

દરમ્યાનમાં 91 ખાનગી હોસ્પિટલોના 3429 પ્રાઇવેટ બેડમાંથી હાલ માત્ર 318 ભરાયેલાં છે અને 3081 ખાલી પડયા છે. આઇસીયુમાં 53 બેડમાં દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે, જયારે 493 ખાલી પડયા છે. તેમજ 32 દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે, 227 વેન્ટીલેટર ખાલી પડયા છે.

જ્યારે સારવાર હેઠળના એકટિવ કેસો ઘટીને 2316 થઇ ગયા છે. જેમાં પશ્ચિમ ઝોન, ઉત્તર પશ્ચિમ ઝોન, દક્ષિણ પશ્ચિમ ઝોનના 1095 અને મધ્ય ઝોન, પૂર્વ ઝોન, ઉત્તર ઝોન, દક્ષિણ ઝોનના 1221 દર્દીઓનો સમાવેશ થવા જાય છે. માઇક્રો કન્ટેન્મેન્ટની સંખ્યા પણ ઘટીને હાલ 15 જેટલી થઈ ગઈ છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3oA82Qo

0 Response to "અમદાવાદમાં કોરોનાના વધુ 126 કેસ, બે દર્દીનાં મૃત્યુ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel