RT-PCR ટેસ્ટનો ખાનગી લેબનો ચાર્જ1500થી ઘટાડીને 800 કર્યો

RT-PCR ટેસ્ટનો ખાનગી લેબનો ચાર્જ1500થી ઘટાડીને 800 કર્યો


(પ્રતિનિધિ તરફથી) ગાંધીનગર, તા. 1 ડિસેમ્બર, 2020, મંગળવાર

ગુજરાતમાં ખાનગી લેબોરેટરીઓમાં કરવામાં આવતા કોરોનાના ટેસ્ટના ચાર્જ રૂા. 1500થી ઘટાડીને રૂા.800 કરવાનો ગુજરાત સરકારે નિર્ણય કર્યો હોવાની જાહેરાત આજે આરોગ્ય મંત્રી નીતિન પટેલે કરી હતી.

ખાનગી લેબોરેટરીઓ વાળા દર્દીના ઘરે જઈને કે પછી હોસ્પિટલમાં જઈને સેમ્પલ લઈને ટેસ્ટ કરી આપતા હતા તેના રૂા. 2000 લેતા હતા. હવે તેઓ રૂા. 1100થી વધુ ચાર્જ લઈ શકશે નહિ.

ખાનગી લેબોરેટરીઓ દ્વારા કરવામાં આવતા આરટીપીસીઆરના ટેસ્ટના ચાર્જમાં રૂા. 700નો અને ખાનગી લેબોરેટરીઓ દ્વારા ઘરે જઈને સેમ્પલ લઈને ટેસ્ટ કરી આપવામાં આવતા હતા તેના ખર્ચમાં રૂા. 900નો ઘટાડો કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષપણા હેઠળ કોર ગુ્રપની આજે મળેલી બેઠકમાં કોરોનાના આરટી-પીસીઆર ટેસ્ટની કિંમતમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો હતો. ગુજરાતમાં કીટના થઈ રહેલા ઉત્પાદનના ખર્ચમાં ઘટાડો થતાં અને કીટનો સપ્લાય વધી જતાં તેની તંગી દૂર થઈ ગઈ હોવાથી ગુજરાત સરકારે આ નિર્ણય લીધો છે.

મંજુશ્રી કમ્પાઉન્ડમાં બની રહેલી કીડનીની 418 બેડની હોસ્પિટલને કોરોનાની હાલની સ્થિતિને ધ્યાનમાં લઈને કોરોનાના દર્દીઓ માટે જ આખી હોસ્પિટલ ફાળવી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

હોસ્પિટલને માત્ર છ જ દિવસમાં  તૈયાર કરી દેવામાં આવી છે. દિવાળીના તહેવાર પછી કોરોના સંક્રમણના કેસમાં ખાસ્સો વધારો થયો છે. તેથી જ અમદાવાદ સિવિલ મેડિસિટી પાસે મંજુશ્રી કમ્પાઉન્ડમાં બની રહેલી કીડની હોસ્પિટલને કોરોના ડેડિકેટેડ હોસ્પિટલ બનાવી દેવામાં આવી છે. 

આજથી નવી નિર્માણ કરવામાં આવેલી કીડની હોસ્પિટલ કોરોનાના દર્દીઓ માટે ચાલુ કરી દેવામાં આવી છે. ત્રીજા અને ચોથા માળે કોરોનાના ખાસ વોર્ડ અને સાતમાં માળે કોરોનાના દર્દીઓ માટે આઈ.સી.યુ. બનાવવામાં આવ્યું છે.

આ હોસ્પિટલની 418 પથારીમાંથી 336 પથારી પર ઓક્સિજન સીધો આપી શકાય તેવી ગોઠવણ કરવામાં આવેલી છે. હોસ્પિટ માટે 20 હજાર લિટર ઓક્સિજનની ટેન્ક સક્રિય કરવામાં આવી છે.  બીજી 20 હજાર લિટર ઓક્સિજનની ટેન્ક સ્પેરસમાં રાખવામાં આવી છે.  તેવી જ રીતે 82 પથારી પર આઈસીયી વેન્ટિલેટરની સુવિધા પૂરી પાડવામાં આવેલી છે.

પી.એમ. કેરમાંથી ગુજરાતના 80 વેન્ટિલેટર ભેટમાં આપવામાં આવ્યા છે. તેમાંથી 56 વેન્ટિલેટરને કીડની હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.મંજુશ્રી કમ્પાઉન્ડની હોસ્પિટલ રૂા. 350 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે.

10 લાખ ચોરસ ફીટ વિસ્તારમાં આ હોસ્પિટલ પથરાયેલી છે. હોસ્પિટલમાં 28 પોસ્ટ ગ્રેજ્યુએટ તબીબો, 60 એમ.બી.બી.એસ. તબીબો, 175 નર્સિંગ સ્ટાફ, 350થી વધુ સફાઈ કામદારને નિયુક્ત કરવામાં આવ્યા છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3fTWyDM

0 Response to "RT-PCR ટેસ્ટનો ખાનગી લેબનો ચાર્જ1500થી ઘટાડીને 800 કર્યો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel