પશુપાલકોએ નવો કીમિયો અપનાવી ઓનલાઇન ઉંટનું વેચાણ કર્યું

પશુપાલકોએ નવો કીમિયો અપનાવી ઓનલાઇન ઉંટનું વેચાણ કર્યું

પાલનપુર તા.02 ડીસેમ્બર 2020, બુધવાર

સિધ્ધપુરમાં દરવર્ષે યોજાતા સાત દિવસના કાર્તિક પુર્ણિમાના મેળામાં ઉંટ બજારમાં મોટા પાયે ઉંટોની લે-વેચ થાય છે. જેમાં ગયા વર્ષે મેળામાં ૧૫૦૦થી વધુ ઉંટ વેચાણ અર્થે  આવ્યા હતા. પરંતુ ચાલુ સાલે કોરોના મહામારીને કારણે કાર્તિકિ પૂર્ણિમાનો મેળો બંધ રાખવામાં આવ્યો હતો. જોકે પ્રથમવાર વેપારીઓ દ્વારા ઉંટોની ઓનલાઈન લે-વેચ કરી મેળામાં વેચાતાં ઉંટોની પરંપરા અકબંધ રાખી હતી. 

સિધ્ધપુર સરસ્વતી નદી તેટે દર વર્ષે ભરાતા કાર્તિકી પૂર્ણિમાના મેળામાં માતૃ અને પિતૃ તર્પણની સાથે સાથે ઘોડા અને ઉંટો પણ વેચાણ મોયા પાયે થાય છે. જેમાં મુખ્યત્વે રાજસ્થાનના બાડમેર, જાલોર, સાંચોર સહિત ઉત્તર ગુજરાતના વિવિધ ગામોમાંથી વેપારીઓ ઉંટો લઇને આવતા હોય છે. પરંતુ ચાલુ સાલે કોરોના મહામારીને કારણે કાર્તિક પૂર્ણિમાનો મેળો બંધ રહ્યો હોવાથી ઘોડા અને ઉંટોનું બજાર પણ ભરાયું ન હતું જેને લઇ વહેપારીઓએ નવો કીમિયો અપનાવી પ્રથમવાર ઉંટોની ઓનલાઇન વહેંચણી કરી હતી. જેમાં રાજસ્થાન એક વહેપારીએ જણાવ્યું હતું કે મેળો બંધ રહેતા આ વર્ષે ઉંટ બજાર બંધ રહ્યું હોવાથી અમોએ ઓનલાઈન ત્રણ ઉંટો ૪૦ હજારમાં વેચ્યા હતા.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3lzk7TA

0 Response to "પશુપાલકોએ નવો કીમિયો અપનાવી ઓનલાઇન ઉંટનું વેચાણ કર્યું"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel