થરાદમાં બાજરી વેચવા આવેલા ખેડૂતોના માલમાં ભેળસેળ મામલે હોબાળો

થરાદમાં બાજરી વેચવા આવેલા ખેડૂતોના માલમાં ભેળસેળ મામલે હોબાળો

થરાદ,તા.16 ડીસેમ્બર 2020, બુધવાર

એક બાજુ શિયાળુ વાવેતરના પિયતની સિઝન ચાલી રહી છે. ત્યારે તંત્ર દ્વારા બાજરી ટેકાના ભાવે ખરીદવા ઓનલાઈન ખેડૂતોને બોલાવી ખરીદી થઈ રહી છે. ત્યારે બાજરી વેચવા આવેલ ખેડૂતોને તેમાં ભેળસેળ છે તેવું બહાનુ બતાવી ખેડૂતોને પરત મોકલતા ધરમધક્કા થઈ રહ્યા છે. આ મામલે આજે ખેડૂતોએ ખરીદ કેન્દ્ર પર હોબાળો મચાવ્યો હતો.

થરાદ તાલુકામાં આ વરસે સારા ચોમાસાના કારણે બાજરીના પાક સારો ઉતર્યો હતો. જેને લઈ ખેડૂતો દ્વારા બાજરીને ટેકાના ભાવે ખરીદે તેવી માંગ કરવામાં આવી હતી. જેને સરકાર મંજૂર રાખી બાજરી ટેકાના ભાવે ખરીદવાનું ચાલુ કરેલ અને ખેડૂતોને પોતાની બાજરી લઈ વેચવા માટે ગત તા.૧૦-૧૨-૨૦૨૦ના રોજ આવ્યા હતા. પરંતુ તે સમય ટેકાના ભાવે બાજરી ખરીદનાર અધિકારીઓ ખેડૂતોની બાજરીને સાફ કરીને લાવો તોમ કહી પાછા મોકલેલ અને સોમવારે બોલાવેલ જ્યારે ખેડૂતો સોમવારે બાજરી વેચવા આવેલ તૈયાર પણ બાજરીની ખરીદી ના કરતા ખેડૂતો પરત ગયા. ફરી બુધવારે ટ્રેક્ટર ભરી બાજરી વેચવા આવેલ ત્યારે હાજર રહેલા બાજરી ખરીદનાર અધિકારી કહે આજે તમારો વારો નથી. જેથી ખેડૂતોને ધક્કા ખાવા પડે છે. એકબાજુ અત્યારે શિયાળુ પિયતની સિઝન છે ત્યારે ખેડૂતોને નવરાશ નથી મળતી અને પોતાનો માલ વેચવા આવે તો લાગતા વળગતા અધિકારીઓ ધક્કા ખવરાવે છે. સરકાર ખેડૂતો માટે અનેક લાભદાયી યોજનાો અમલમાં મુકે છે ત્યારે અધિકારીઓ ખેડૂતોને પરેશાન કરી રહ્યા હોવાની બૂમો ઉઠી છે.

અધિકારી શું કહે છે?

આ અંગે ટેકાના ભાવે બાજરી ખરીદનાર અધિકારી આર.જી.ચૌધરીએ જણાવ્યું કે અમો દરરોજના ૩૦ ખેડૂતોને મેસેજ મોકલીએ છીએ. ખેડૂતોનો માલ ખરીદી કરીએ છીએ. જો ૩૦ ખેડૂતોના માલ ખરીદ્યા પછી ટાઈમ વધે તો બીજા ખેડૂતોનો પણ માલ ખરીદી કરવામાં આવે છે. જે ખેડૂતોના બાજરીમાં ઈયળ કે કચરો હતો તે ખેડૂતોને માલ સાફ કરીને લાવવાનું કીધું છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mq5AKl

0 Response to "થરાદમાં બાજરી વેચવા આવેલા ખેડૂતોના માલમાં ભેળસેળ મામલે હોબાળો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel