
મહેસાણામાં 51, પાટણમાં 14 અને બનાસકાંઠામાં 29 પોઝિટીવ કેસ નોંધાયા
મહેસાણા તા.02 ડીસેમ્બર 2020, બુધવાર
ઉત્તર ગુજરાતમાં પ્રતિદિન કોરોનાના ૧૦૦થી વધુ પ્રોઝિટીવ કેસ નોંધાઈ રહ્યા છે. ઉત્તર ગુજરાતમાં છેલ્લા બે દિવસથી કોરોના સંક્રમણની ગતિ ધીમી પડી રહેલી જોવા મળી છે. જોકે મહેસાણામાં સૌથી વધુ ૫૧ કેસ નોંધાયા છે. જ્યારે પાટણમાં ૧૪ અને બનાસકાંઠામાં ૨૯ કેસ નોંધાયા છે. ઉત્તર ગુજરાતમાં કુલ ૯૪ કેસ નોંધાય છે. જેમાં વિજાપુરના એક આધેડ બેંક કર્મચારીનું કોરોના કારણે મોત નિપજ્યું છે.
મહેસાણા જિલ્લામાં ૨ લી ડીસેમ્બરના રોજ ૨૬૦૬૯ના સેમ્પલ લેવાયા હતા. જે પૈકી ૨૩૮૮૯નો નેગેટીવ આવેલ છે. જ્યારે ૪૯૦ સેમ્પલનો રીપોર્ટ આવતા જે માંથી ૪૫૨નો નેગેટીવ રીપોર્ટ જણાયો હતો. આજે નોંધાયેલ ૫૧ કેસ પૈકી ૩૦ શહેરી અને ૨૧ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયો જેમાં ૧૫ મહિલા ૩૬ પુરૃષ કોરોના સંક્રમિત થયા છે. સરકારી લેબમાં ૩૮ તથા ખાનગી લેબમાં ૧૩ પોઝિટીવ કેસ નોંધાયા છે. તથા ૩૮ દર્દીઓને કોરોનાને મહાત આપતાં રજા અપાઇ હતી. જ્યારે એકટીવ આંક ૫૧૦ જોવા મળ્યો છે. મહેસાણા શહેરમાં ૧૭ જે પૈકી ધોબીઘાટ -૩, રાધનપુર રોડ-૬, ગાયત્રીમંદિર -૩, લાખવડી ભાગોળ-૧, વિસનગર રોડ-૧, રાજકમલ પેટ્રોલપંપ પાળ - ૧ જ્યારે વિસનગરમાં -૮, વિજાપુર -૧, કડી શહેરમાં -૪ તથા તાલુકામાં -૫ કેસ નોંધાયા છે. વડગનરના સુઢીયાળ તથા જોટાણાના રાણીપુરામાં ૧ કેસ નોંધાયા છે. વિજાપુરના એક આધેડનું કોરોનાના કારણે મોત નિપજ્યું છે.
પાટણ જિલ્લામાં બુધવારના રોજ ૧૪ કેસ નોંધાયા છે. જેમાં ૫ મહિલા અને ૯ પુરૃષ કોરોના સંક્રમિત થયા છે. જેમાં પાટણ શહેર-૫, ચાણસ્મા-૧, સિધ્ધપુર-૩, શંખેશ્વર-૨૧, રાધનપુર-૩, સરસ્વતી -૧, સમી- ૧ તથા જિલ્લાનો કોરોના સંક્રમિત આંક ૩૬૯૮ નોધાયો છે.બનાસકાંઠા જિલ્લામાં આજે ૨૯ કેસ નોંધાયા છે. જેમાં પાલનપુરમાં -૧૬, દાંતા-૨, વડગામ-૧, ડીસા-૨, દિયોદર -૨, ભાભર -૬ જેમાં ૧૧ મહિલા અને ૧૮ પુરૃષ સંક્રમિત થયા છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3g1Nixf
0 Response to "મહેસાણામાં 51, પાટણમાં 14 અને બનાસકાંઠામાં 29 પોઝિટીવ કેસ નોંધાયા"
Post a Comment