
યુવતિ સાથે બળાત્કાર કર્યા બાદ 4 શખસોએ ઝેરી દવા પીવડાવી
થરાદ,તા.16 ડીસેમ્બર 2020, બુધવાર
થરાદ પંથકની યુવતિ માસીના ઘરે ગઈ હતી તે દરમિયાન લાખણીના ટરૃવા ગામનો ચાર શખસોએ તેણીનું અપહરણ કરી ઉંટવેલીયા ગામની ગૌચર લઈ જઈ યુવતિ પર એક ઈસમે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ ઝેરી દવા પીવડાવી કેનાલ પર મુકી નાસી છૂટયા હતા. યુવતિના કહેવા પ્રમાણે બે વર્ષ અગાઉ આજ વ્યક્તિએ મારા પર દુષ્કર્મ આચર્યું હતું. પોલીસ ફરિયાદ નોંધાવતાં પોસ્કો હેઠળ ધરપકડ કરી જેલને હવાલે કરાયો છે.
થરાદ પંથકની યુવતિ પોતાની બહેન અને માતા સાથે પોતાના માસીના ઘરે ડીસા ગઈ હતી અને ડીસામાં તેના માસીના ઘરે સવારના અંધારામાં લાખણી તાલુકાના ટરુવા ગામના ચાર ઈસમોએ તેનું અપહરણ કરી તેને થરાદ તાલુકાના ઉંટવેલીયા ગામની આવેલી પડતર ગૌચર જમીનમાં લાવેલા અને તેઓ ચાર ઈસમોમાંથી એક ઈસમ પથુ શંકરાએ યુવતિ ઉપર છરીની અણીએ બળાત્કાર ગુજાર્યો તો અને તે બાદ યુવતિને ધમકી આપી હતી કે તે જો કોઈને કીધું તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપેલી. ત્યારબાદ યુવતિને ઝેરી દવા પીવડાવી અને તે યુવતિને કેનાલ પર મુકી ગયેલા હતા. પરંતુ યુવતિને ભાન આવતા તે યુવતિને ચાર ઈસમો પાલનપુર સિવિલ હોસ્પિટલમાં મુકીને નાસી છૂટયા હતા. ત્રણ દિવસ પછી યુવતિ ભાનમાં આવતા તમામ ઘટનાની હકીકતની તેના પરિવારને જાણ કરી હતી.
યુવતિએ તેના ઉપર બળાત્કાર થવાની ફરિયાદ તેના પરિવારને સાથે રાખી થરાદ પોલીસ સ્ટેશનમાં ટરૃવા ગામના ચાર ઈસમો ઉપર ફરિયાદ નોંધાવી હતી અને આ ફરિયાદના આધારે થરાદ પોલીસ પીઆઈ જે.બી.ચૌધરીએ તાત્કાલિક ધોરણે ચારમાંથી ત્રણ ઈસમોની ધરપકડ કરી હતી. તેમના કોવિડ-૧૯ ટેસ્ટ કરાવી તેમને જેલના હવાલે કર્યા હતા. તેમજ પોલીસ સમક્ષ યુવતિએ એવું જણાવ્યું હતું કેઆ જ વ્યક્તિએ બે વર્ષ પહેલા પણ મારા ઉપર દુષ્કર્મ કર્યું હતું અને ત્યારે તેની ઉંમર નાની હતી. તમામ હકીકત જાણી થરાદ પોલીસે પોસ્કોની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3oZCKCd
0 Response to "યુવતિ સાથે બળાત્કાર કર્યા બાદ 4 શખસોએ ઝેરી દવા પીવડાવી"
Post a Comment