અમદાવાદમાં વધુ 207 લોકો આવ્યા કોરોનાની ઝપેટમાં અને પાંચનાં મૃત્યુ, ખાનગી હોસ્પિટલોમાં 71.55 ટકા બેડ ખાલી

અમદાવાદમાં વધુ 207 લોકો આવ્યા કોરોનાની ઝપેટમાં અને પાંચનાં મૃત્યુ, ખાનગી હોસ્પિટલોમાં 71.55 ટકા બેડ ખાલી


- અમદાવાદમાં વધુ 207 નાગરિકો કોરોનામાં સપડાયા, પાંચનાં મૃત્યુ
- ખાનગી હોસ્પિટલોમાં 2,453 એટલે કે 71.55 ટકા બેડ ખાલી પડયા

- માઈક્રોકન્ટેઇનમેન્ટ તમામ વિસ્તારોમાંથી અદ્રશ્ય થવા માંડયા 
- અત્યાર સુધીના કુલ કેસોની સંખ્યા 56,858ની થઈ અને 2,157ના મૃત્યુ

અમદાવાદ, તા. 20 ડિસેમ્બર, 2020, રવિવાર

અમદાવાદમાં પીક બાદ કોરોનાની પક્કડ ઢીલી પડવા માંડી છે. રોજેરોજ નોંધાતા દર્દીઓમાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. માઈક્રો કન્ટેન્મેન્ટની સંખ્યા ઘટીને 25 જેટલી થઈ ગઈ છે. હવે ખાનગી હોસ્પિટલોના મ્યુનિ.ના કવોટાના બેડ ઘટાડાશે તેમ પણ જણાય છે, પ્રાઈવેટ કોટાના બેડ તો ઘટવા પણ માંડયા છે. દરમ્યાનમાં આજે સરકારી યાદી મુજબ વધુ 207 કેસો નોંધાયા છે. જ્યારે સારવાર દરમ્યાન પાંચ દર્દીઓના કરૂણ મૃત્યુ નોંધાયા છે.

બીજી તરફ સાજા થઈ ગયેલા 206 લોકોને જુદી જુદી હોસ્પિટલોમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. મ્યુનિ.ની હદમાં અત્યાર સુધી નોંધાયેલા કુલ કેસોનો આંકડો 56858ને આંબી ગયો છે. જે પૈકી 2157 દર્દીએ તેમના જીવ ગુમાવ્યા છે. જ્યારે કોરોનાને હરાવનારાઓની સંખ્યા 47098ની થઈ ગઈ છે. દરમ્યાનમાં રાહત આપનારી બાબત એ છે કે ખાનગી હોસ્પિટલોના 71.55 ટકા પ્રાઈવેટ બેડ હાલ ખાલી પડયા છે.

3428માંથી 975 બેડમાં દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે, જ્યારે 2453 બેડ એટલે કે 71.55 ટકા ખાલી પડયા છે. જોકે આઈસીયુમાં 190 દર્દીઓ છે અને 341 બેડ ખાલી છે. જ્યારે વેન્ટીલેટર ઉપર 91 દર્દીઓ છે, 154 વેન્ટીલેટર ખાલી છે. જોકે સરકારી યાદી અનુસાર આખા રાજ્યમાં 61 દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે.ઉપરાંત એકટિવ કેસોની સંખ્યા ઘટીને 2505ની થઈ ગઈ છે.

જેમાંથી ઉત્તરપશ્ચિમઝોન, પશ્ચિમઝોન, દક્ષિણપશ્ચિમઝોનના 1257 અને પૂર્વપટ્ટાના મધ્યઝોન, પૂર્વઝોન, ઉત્તરઝોન અને દક્ષિણઝોનના 1248 દર્દીઓ સારવાર હેઠળ છે. ઘેરબેઠાં સારવાર લેતાં દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે. દરમ્યાનમાં કોરોનાને મ્હાત આપીને સાજા થઈ ગયેલા દર્દીઓને મ્યુકોરમાઈકોસિસ-ફંગસની ગંભીર બિમારી થતાં હોવા અંગે એક ડોક્ટરે ત્રણ કારણોની સંભાવના વ્યક્ત કરી હતી.

(1) વધુ પડતો નાસ લેવાથી નાકની કોમળ ચામડીને નુકશાન થતું હોય (2) નાક કે ગળામાં નાખેલી નળીના કારણે ઈન્ફેકશન થયું હોય (3) હોસ્પિટલના વાતાવરણમાંથી ચેપ લાગવાની શક્યતા પણ છે. કોવિડની હોસ્પિટલમાં સાફસફાઈ કરવાનું કર્મચારીઓ પણ પસંદ કરતાં નથી. બંધ રહેતાં રૂમો દર્દી વધતાં એકાએક ખોલી નખાયા હોય અને ત્યાં યોગ્ય સફાઈનો સમય જ ના રહ્યો હોય તેવું બની શકે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34vI08O

0 Response to "અમદાવાદમાં વધુ 207 લોકો આવ્યા કોરોનાની ઝપેટમાં અને પાંચનાં મૃત્યુ, ખાનગી હોસ્પિટલોમાં 71.55 ટકા બેડ ખાલી"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel