
પાલનપુરની 200થી વધુ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી નથી
પાલનપુર, તા.13 ડીસેમ્બર 2020, રવિવાર
રાજ્યમાં સુરત અને રાજકોટ જેવા શહેરોમાં ફાયર સેફ્ટીના અભાવે મોટી દુર્ઘટનામાં કેટલાક માસુમોએ જીવ ગુમાવ્યા છે ત્યારે રકાર દ્વારા મૃતક પરિવારોને સહા આપી તપાસ કમિટી રચી મામલો થાળે પાડી દેવામાં આવશે ને ગુનેગારને કોઈ જ સજા ફટકારવામાં નથી ત્યારે રાજ્યમાં ફરી આવી ઘટનાઓ ના બને તે માટે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા તમામ શહેરોમાં ફાયર સેફ્ટી સહિત એનઓસીની ચકાસણી કરી અહેવા રજુ કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. જેના પગલે બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર ખાતે કલેક્ટર દ્વારા હોસ્પિટલો આઈસીયુ સહિત કેટલાક બિલ્ડીંગોમાં તપાસના આદેશ આપવામાં આવ્યા હતા ને પ્રાંત અધિકારી દ્વારા તપાસ કરી ૨૦૦ જેટી હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીનો અભાવ તેમજ ડોક્ટર હાઉસમાં રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામ કરી હોસ્પિટલો બનાવી દેવાતા ત્યાં કોઈ જ એનઓસી મળે તેવી શક્યતાઓ નથી ને હાલમાં હોસ્પિટલોમાં એનઓસી ન હોવાનું માુમ પડતા જેનો રિપોર્ટ તૈયાર કરી કલેક્ટરને સોંપવામાં આવ્યો છે. જોકે તપાસ કરતા અધિકારીઓની ઓફીસમાં જ ફાયર સેફ્ટીની બોટલો એક્ષપાયર ડેટવાળી જોવા મળી આવી હતી ત્યારે જોવાનું રહેશે કે તપાસ અહેવાલના પગે કલેક્ટર દ્વારા કોઈ પગલા લેવામાં આવશે કે પછી સુરત કે રાજકોટ જેવી ઘટનાની રાહ જોવામાં આવશે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KqPBhW
0 Response to "પાલનપુરની 200થી વધુ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી નથી"
Post a Comment