
સુરત ના 2000 સહિત દ.ગુજરાતમાં 3000 ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરે છે
પ્રતિનિધિ દ્વારા,
લોકો માં ધીમે ધીમે ઓર્ગેનિક ખેતપેદાશો ની ડિમાન્ડ વધી છે ત્યારે આત્મા પ્રોજેકટ અંતર્ગત હાલ માં સરકાર દ્વારા અમૃત આહાર મહોત્સવ નું ૨૫ થી ૩૧ ડીસેમ્બર દરમિયાન આયોજન નવસારી કૃષિ યુનિવર્સિટી ના મેદાન ખાતે થયું છે.ખેડૂતો ને ઓર્ગેનિક ખેતી તરફ વાળવાના ભાગ રૂપે આ પ્રદર્શન યોજાયું છે.
સરકાર દ્વારા ખેડૂતોને ઓર્ગેનીક ખેતી તરફ વાળવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને હવે લોકો પાણી રાસાયણિક ખાતર વાળા નહીં પરંતું ઓર્ગેનિક ખોરાક ખાવાનું પસંદ કરી રહ્યા છે ત્યારે હવે મોટાભાગના ખેડૂતો પણ ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા ત્યારે સમગ્ર દક્ષીણ ગુજરાત માં 3000 જેટલા ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરે છે.જેમાંથી 2000 ખેડુતો માત્ર સુરત જિલ્લા ના છે.
ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોની ખેત પેદાશો ને એક બજાર મળી રહે તેવો પ્રયત્ન સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે.લોકો ને પણ ઓર્ગેનિક ખોરાક થી ફાયદા હવે ધીરેધીરે સમજ પડતા હવે તેઓ પણ ઓર્ગેનિક ફૂડ ખાવાનું પસંદ કરે છે. સીટી લાઈટ ખાતે નવસારી કૃષિ યુનિવર્સિટીના મેદાનમાં યોજાયેલા આ પ્રદર્શનમાં બે દિવસમાં 2200 લોકોએ મુલાકાત લઈને ખેત પેદાશોની ખરીદી કરી હતી .જેમાં ખાસ કરીને દેશી ગોળ એટલે કે કાકવી, બ્લેક રાઈસ ,બ્રાઉન રાઈસ અને દેશી ગીર ગાયના ઘી ની લોકો વધુ પ્રમાણ માં ખરીદી કરતા જોવા મળ્યા હતા.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WPvnB7
0 Response to "સુરત ના 2000 સહિત દ.ગુજરાતમાં 3000 ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરે છે"
Post a Comment