ધાનેરા થાવરમાં 200 જેટલા લોકો સરકારના લાભોથી આજે પણ વંચિત

ધાનેરા થાવરમાં 200 જેટલા લોકો સરકારના લાભોથી આજે પણ વંચિત

મહેસાણા,તા.10 ડીસેમ્બર 2020, ગુરૂવાર

૧૦મી ડીસેમ્બરને વિશ્વ માનવ અધિકાર દિવસ તેમજ આંતરરાષ્ટ્રીય માનવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રએ ૧૯૫૦માં ૧૦ ડીસેમ્બર માનવ અધિકાર દિવસની જાહેરાત કરી હતી. સરકારની સુવિધા લાભો માટે અનેક યોજનાઓ અમલમાં મુકી છે. પરંતુ તંત્રની બેવડી નીતિના કારણે સાચા ગરીબો યોજનાથી વંચિત રહી જાય છે. ધાનેરા તાલુકાના થાવર ગામમાં ૩૦ ભરથરી સમાજના ૨૦૦ જેટલા વ્યક્તિઓ પોતાના વંચિત રહ્યા છે. આજેપણ તેઓ ઘરેઘરે માંગી પેટ ભરે છે.

ધાનેરા તાલુકાના થાવર ગામ નજીક સરકારી જમીન પર ૨૦ વર્ષથી ભરથરી સમાજના ૩૦ જેટલા પરિવાર કાચા ઝુંપડામાં વસવાટ કરે છે. સારંગી પર જુના ભજનો ગાનાર ભરથરી સમાજના લોકો રાજા ભરથરીના વંશજો છે. મુળ ભિક્ષા માંગી જીવન વિતાવનાર સમાજના પૂર્વજો સારંગીનું વાવેતર વગાડી ઘરે ઘરે પહોંચી ભિક્ષા માંગે છે. જેથી હાલમાં ખેતી તેમજ અન્ય મજુરી કરી પોતાના જીવન નિર્વાહ ચલાવી રહ્યો છે.  

ગુજરાતના વિકાસની તસ્વીર જોતાં સરકારે મકાન સહાય, મફત પ્લોટ, શૌચાલય સહિતની મનરેગા યોજનામાં મજુરી આપી છે તેવા રાજકીય નેતાઓના ભાષણો સાંભલવા મળ્યા છે તેમછતાં થાવર ગામના ભરથરી સમાજના પરિવારોને સરકારની કોઈ યોજનાનો લાભ મળ્યો નથી. આ પરિવારો પાસે પાકા મકાન, લાઈટ વગર અંધારામાં જીવન વિતાવે છે. પાકો રસ્તો પણ નથી. તાલુકા પંચાયતના ચોપડે ધાનેરા તાલુકો શૌચમુક્ત બની ગયો છે. પણ હજુસુધી ૩૦ પરિવારો શૌચાલ નથી. તમામ સભ્યો પાસે ચુંટણીકાર્ડ મત આપવાનો અધિકાર છે પરંતુ સુવિધાઓ મળતી નથી. ૨૦૦ જેટલા પરિવારો પોતાના હકથી વંચિત રહી ગયા છે.

20 વર્ષ પછી પરિવારના સભ્યો 200 થયા

થાવર ગામમાં વર્ષ ૨૦૦૧ કે ૨૦૦૨ દરમિયાન ૧૬ જેટલા ભરથરી પરિવારને સરકારની સરદાર આવાસ યોજના અંતર્ગત મકાન બનાવી આપ્યા હતા. જે પ્લોટ પણ સરકારે આપ્યા હતો. જેના ૨૦ વર્ષ પછી પરિવારના સભ્યોની સંખ્યા આજે ૨૦૦ પહોંચી ગઈ છે. અને સરકારી મકાનની છત તૂટી જતા અને મકાનની દિવાલો પર તિરાડ આવી જતા હવે આ પરિવારો ખુલ્લા આકાશ નીચે ઝુંપડા બનાવી જીવન આગળ થમપાવી રહ્યા છે. થાવર ગામના સરપંચ પતિ અમથાભાઈએ આ પરિવારોને મફત પ્લોટ મળે તે માટે સરકારમાં જમીનની માંગણી કરી છે. હવે જોવાનું એ છે કે આ પરિવારોના બાળકો શું પાકુ મકાન જોશે અને શિક્ષણ થકી બાળકો આગળ વધશે કે પછી આ પેઢી શિક્ષણ અને સુવિધાઓથી વંચિત જ રહેશે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3oHzsTX

0 Response to "ધાનેરા થાવરમાં 200 જેટલા લોકો સરકારના લાભોથી આજે પણ વંચિત"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel