ઉ.ગુજરાતમાં 1100 જેટલા એલોપથી તબીબો કામકાજથી અળગા રહ્યા

ઉ.ગુજરાતમાં 1100 જેટલા એલોપથી તબીબો કામકાજથી અળગા રહ્યા

પાલનપુર, તા.11 ડીસેમ્બર 2020, શુક્રવાર

મહેસાણા જિલ્લામાં પણ ૨૦૦થી વધુ એલોપથી ડોક્ટરોએ સરકારના આયુર્વેદિક પ્રેક્ટીસ કરતા આયુર્વેદિક ડોક્ટરોને સર્જરીની છૂટ આપતા કાયદો રદ્ કરવાની માંગણી સાથે ૨૦૦થી વધુ ડોક્ટરો જોડાયા હતા. જોકે કોવિડ-૧૯ અને ઈમરજન્સી સેવા ચાલુ રહી અન્ય ગામો અને શહેરોમાં પણ તબીબોએ હડતાળને સમર્થન આપ્યું હતું.

કેન્દ્ર સરકાર દ્વારા આયુર્વેદિક ડોક્ટરોને ૫૮ પ્રકારની સર્જરી કરવાની છૂટ આપતા ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા તેના વિરોધમાં શુક્રવારે એક દિવસની હડતાલનું એલાન આપ્યું હતું. જેને લઈને પાટણ, બનાસકાંઠાના ૯૦૦ તથા મહેસાણાના ૨૦૦થી વધુ ડોક્ટરો હડતાલમાં જોડાયા હતા અને તેઓએ ઈમરજન્સી અને કોવિડ સિવાયની તમામ કામગીરી બંધ રાખી હોવાનું પાટણ અને બનાસકાંઠાના આઈએમએના પ્રમુખોએ જણાવ્યું હતું.

બંને જિલ્લાઓમાં સવારે છ કલાકથી સાંજે છ કલાક સુધી હડતાલ પાડી હતી. જોકે હડતાલ દરમિાન કોઈપણ પ્રકારના દેખાવો કે વિરોધ કર્યો નહોતો. આ અંગે ડોક્ટર અનિસ મન્સુરીએ જણાવ્યું હતું કે પાટણના ૧૫૦ અને સિધ્ધપુરના ૫૫ ડોક્ટરો હડતાલમાં જોડાયા હતા. તો પાલનપુરના ડોક્ટર હિતેન ભાવસારે જણાવ્યું હતું કે બનાસકાંઠાના ૭૦૦થી વધુ ડોક્ટરો આ હડતાલમાં જોડાયા હતા.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2IGw9gp

0 Response to "ઉ.ગુજરાતમાં 1100 જેટલા એલોપથી તબીબો કામકાજથી અળગા રહ્યા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel