
બેસતા વર્ષ પહેલા રાજ્યમાં વધુ 1070 લોકો કોરોના સંક્રમિત
અમદાવાદ, તા. 16 નવેમ્બર 2020 સોમવાર
રાજ્યમાં કોરોના વાયરસની દિવાળીના દિવસે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 1070 લોકો કોરોના સંક્રમિત થયા છે. આમ ગુજરાતમાં કુલ કોરોના દર્દીઓનો આંકડો 1,88,310એ પહોંચ્યો છે. જ્યારે આજે રાજ્યમાં વધુ 6 લોકોના મોત થતાં કુલ મૃત્યું આંક 3803એ પહોંચ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં 3 લોકોનો સમાવેશ થાય છે.
અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 202 કેસ નોંધાયા હતા. જ્યારે 199 લોકો સાજા થઈને ઘરે ગયા હતા. આ ઉપરાંત ગુજરાતમાંથી છેલ્લા 24 કલાકમાં 1001 દર્દીઓ કોરોનાને મ્હાત આપીને સાજા થઈ ઘરે ગયા હતા. આમ અત્યાર સુધીમાં રાજ્યના કુલ 1,71,932 દર્દીઓ સાજા થયા છે.
આજ રીતે કોરોના ટેસ્ટીંગની ક્ષમતા પણ વધારવામાં આવી છે. રાજ્યમાં કુલ 49,842 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં વસ્તીને ધ્યાને લેતા પ્રતિદિન 766.80 ટેસ્ટ પ્રતિ મિલિયન જેટલા થવા પામે છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UxC61s
0 Response to "બેસતા વર્ષ પહેલા રાજ્યમાં વધુ 1070 લોકો કોરોના સંક્રમિત"
Post a Comment