
ચાચર ચોક, પાર્ટી પ્લોટ મંદિર પરીસર નવરાત્રિ બંધ રહેતાં સૂમસામ ભાસશે
મહેસાણા, તા. 16 ઓક્ટોબર 2020, શુક્રવાર
દર વર્ષે નવલા નવરાત્રિના ૯ દિવસ માતાજીની પૂજા-અર્ચના સાથે ઠેરઠેર ચાચર ચોક, પાર્ટી પ્લોટ, મંદિર પરીસરમાં બાલ, અબાલ વૃધ્ધો તેમજ યુવાધન વિવિધ ગરબા, ડાન્સ, ડીજેના તાલે હિલોળે ચડી મોડી રાત્રી સુધી ધુમ મચાવી આનંદની ખુશી મનાવતા હતા. જે ચાલુ સાલે કોરોના મહામારીના કારણે અને સરકારની ગાઈડલાઈનને કારણે સમગ્ર ઉત્તર ગુજરાતમાં કાર્યક્રમો બંધ રહેતા ખેલૈયા, આયોજકો તેમજ માઈભક્તોમાં પણ ભારે નિરાશા વ્યાપી રહી છે.
વર્ષ દરમિયાન મોટી બે નવરાત્રિમાં માતાજીની આરાધના ઉપાસના-અર્ચના કરવામાં આવે છે. જેમાં ચૈત્રી નવરાત્રિ અને આસો નવરાત્રિમાં વિશિષ્ઠ રીતે ઉજવણી કરવામાં આવે છે તેમજ નવ દિવસ દરમિયાન પોતાના ગરે પણ કરવટુ કરતા હોય છે. જેમાં વિવિધ પ્રકારના નિવેધ પણ પધરાવી માતાજીની પૂજા-અર્ચના કરે છે. તેમજ મોટા મંદિરોમાં આઠમ, નોમની માતાજીની પલ્લી ભરવામાં આવે છે. તેમજ નવ દિવસ વિશિષ્ઠ અનુષ્ઠાન, મંત્રજાપ પણ કરવામાં આવે છે.
દર વર્ષે ભાદરવી પૂનમે અંબાજીના મેળામાં હજારો યાત્રાળુઓ માતાજીના દર્શને જઈ પોતાની માંડવી ઘરે પધારવા આમંત્રણ આપીને આવતા હોય છે. ચાલુ સાલે કોરોના મહામારીના કારણે અંબાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા વિવિધ સંઘો દ્વારા ધજાઓ અર્પણ કરી હતી. જોકે સરકારની ગાઈડલાઈન પ્રમાણે મંજુરી ન મળતા માત્ર માતાજીની સ્થાપના કરી, આરતી- સ્તુતિ કરવામાં આવશે. આમ આજથી શરૃ થતું નવરાત્રિ પર્વમાં ચાચર ચોક, પાર્ટી પ્લોટ કે શેરીઓમાં રોશની ઝળહળશે નહીં અને ડીજે સાઉન્ડ પણ બંધ રાખી ઉજવણી કરવામાં આવશે.
કોરોનાથી નવરાત્રિમાં વેપારીઓને ગ્રહણ
નવરાત્રિ દરમિયાન, ચણિયા ચોળી, ડીજે સાઉન્ડ, વેશભૂષા, પોશાક, ફૂલ તેમજ સંકળાયેલ સંગીત પાર્ટીઓ આ વર્ષે નહીં થતા તેઓએ મોંઘવારીના મારમાં ભારે હાલાકી વેઠવી પડી રહી છે તેમજ વેપાર ધંધામાં પણ મંદી રહેતા વેપારીઓમાં પણ ભારે નિરાશા વ્યાપી રહી છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3k7fFeO
0 Response to "ચાચર ચોક, પાર્ટી પ્લોટ મંદિર પરીસર નવરાત્રિ બંધ રહેતાં સૂમસામ ભાસશે"
Post a Comment