
પેટાચૂંટણીમાં પક્ષપલટુ-આંતરિક જૂથવાદ ભાજપને ભારે પડશે
અમદાવાદ, તા. 5 ઓક્ટોબર, 2020, સોમવાર
ગુજરાત વિધાનસભાની આઠ બેટકો પર યોજાનારી પેટાચૂંટણીને લઇને ભાજપે કવાયત શરૂ કરી દીધી છે. પેટાચૂંટણીને લઇને કઇ બેઠક પર કેવી રાજકીય પરિસિૃથતી છે તે જાણવા ભાજપે ખાનગી સંસૃથા પાસે કરાવેલાં સર્વેના તારણોએ જ ભાજપના નેતાઓની ઉંઘ ઉડાવી દીધી છે કેમકે, પાંચ બેઠકો પર ભાજપના જ આંતરિક જૂથવાદને કારણે ભાજપને હારનો સામનો કરવો પડી શકે છે.
આ ઉપરાંત સર્વેમાં એવાત પણ બહાર આવી છેકે, પક્ષપલટુઓને ટિકીટ આપવી ભાજપને ભારે પડશે . પેટાચૂંટણી જીતવા ભાજપે એડીચોટીનુ જોર લગાવ્યુ છે કેમકે, સી.આર.પાટીલ માટે પણ આ એસિડટેસ્ટ સાબિત થશે.
પેટાચૂંટણીને લઇને ભાજપે ખાનગી સંસૃથા પાસે કરાવેલાં સર્વેમાં એવુ જાણવા મળ્યુ છેકે, ધારી , અબડાસા , કરજણ , મોરબી અને કપરાડા બેઠક પર પક્ષપલટુઓની ટિકીટ લગભગ પાક્કી છે જે જાણી સૃથાનિક ભાજપના નેતા-કાર્યકરો રિસાયા છે. અત્યારથી જ આ બેઠકો પર ભાજપના પૂર્વ ધારાસભ્ય સહિત અન્ય સૃથાનિક નેતાઓ ભૂગર્ભમાં ઉતરી પડયાં છે.
તેમનું એવુ કહેવુ છેકે, ગત ચૂંટણીમાં જેમણે ભાજપને ગાળો ભાંડી હોય તે ઉમેદવારને ખભે બેસાડી મતદારો પાસે કયા મોઢે મત માંગવા જવુ તે સમજાતુ નથી. આ પાંચેય બેઠકો પર ભાજપમાં આંતરિક જૂથવાદ ચરમસિમાએ પહોંચ્યો છે જેના કારણે ભાજપને જ નુકશાન થઇ શકે છે.
આ તરફ, ગઢડા, લિંબડી અને ડાંગમાં ભાજપમાં અંદરોઅંદર ટિકીટ માટે ખેંચતાણ જામી છે. આઠ બેઠકો પર ઉમેદવારોની પસંદગી કરવી ભાજપ માટે માથાનો દુખાવો બનશે. ટિકીટના મુદ્દે હજુય વધુ વિવાદ વકરી શકે છે તે જોતાં અત્યારથી ભાજપે અંદરખાને ડેમેજકંટ્રોલ કરવાની પણ રણનીતિ ઘડી કાઢી છે.
ભાજપના સર્વે મુજબ કઇ બેઠક પર શું સ્થિતિ છે?
મોરબી : આ બેઠક પર પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયા નારાજ છે. તેઓ ટિકીટના દાવેદાર છે પણ ભાજપે પક્ષપલટુ બ્રિજેશ મેરઝાને ટિકીટ આપવા વચન આપ્યુ છે જેના કારણે આ બેઠક પર અમૃતિયાના સમર્થકો ભાજપને પાઠ ભણાવવાના મૂડમાં છે
કરજણ : આ બેઠક પર ભાજપનો જૂથવાદ ચરમસિમાએ છે. ગત વખતે આ જૂથવાદને લીધે જ કોંગ્રેસની જીત થઇ હતી. પણ આ વખતે આ બેઠક પર જીતવી મેળવવી અઘરી છે.
ધારી : અમરેલી જિલ્લા પર રાજકીય કાબૂ મેળવવા ભાજપના જૂના જોગીઓ વચ્ચે ઘણાં વર્ષોથી આંતરિક જૂથવાદ જામ્યો છે. ગત વખતે આ જૂથવાદને લીધે કોંગ્રેસના જે.વી.કાકડિયાનો વિજય થયો હતો. આ વખતે પણ કઇઁક આવુ જ ચિત્ર છે.
અબડાસા : આ બેઠકની વર્ષોથી તાસીર રહી છેકે, અહીં રિપીટ ચહેરાને મતદારો પસંદ જ કરતાં નથી. અબડાસામાં પ્રદ્યુમનસિંહ જાડેજાને લઇને ભાજપનો આંતરિક વિરોધ છે જેથી ભાજપને નુકશાન થવાની દહેશત છે
કપરાડા : ગત વખતે કપરાડા બેઠક પર પક્ષપલટુ જીતુ ચૌધરી ગણતરીના મતોથી જ જીત્યા હતાં. હવે ભાજપ ફરી જીતુ ચોંધરીને ચૂંટણી મેદાને ઉતારે તો હારનો સામનો કરવો પડે તેમ છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34ppXjT
0 Response to "પેટાચૂંટણીમાં પક્ષપલટુ-આંતરિક જૂથવાદ ભાજપને ભારે પડશે"
Post a Comment