
વેલમાર્ક લો પ્રેશર નબળુ પડતા ભારે વરસાદનું સંકટ ટળ્યું
અમદાવાદ, તા. 20 ઓક્ટોબર 2020 મંગળવાર
રાજ્યમાં કુલ 140 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. ત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમા ખેતરોમાં પાણી ભરાતાં ખેડૂતોને ભારે નુકસાન થયેલું જોવા મળ્યું.
જો કે છેલ્લા 48 કલાકથી રાજ્યમાં ફરી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ત્યારે હવે વેલમાર્ક લો પ્રેશર નબળુ પડતા રાજ્યમાં ભારે વરસાદનું સંકટ ટળી ગયું છે.
રાજ્યમાં આગામી 24 કલાક સુધી વરસાદની આગાહી આપવામાં આવી છે. જેમાં દ્વારકા, ભાવનગર, મોરબીમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સુરત, વલસાડ, ભરૂચમાં સામાન્ય વરસાદી ઝાપટા જોવા મળશે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Hh2sSe
0 Response to "વેલમાર્ક લો પ્રેશર નબળુ પડતા ભારે વરસાદનું સંકટ ટળ્યું"
Post a Comment