
બનાસકાંઠાઃઘુડખર અભ્યારણ્ય 7 માસ બાદ 16 ઓક્ટોમ્બરથી ખુલ્લું મુકાશે
પાલનપુર, તા. 11 ઓક્ટોબર 2020, રવિવાર
સને ૧૯૭૩માં સમીના કોડધા પો આવે કચ્છના નાના રણ ૪૯૫૪ ચોરસ કિલોમીટર વિસ્તારને રણ સિવાય વિશ્વભરમાં ક્યાંય ન જોવા મળતા ઘુડખર માટે રક્ષિત જાહેર કરવામાં આવ્યો હતો. આ રણમાં દુર્લભ ઘુડખર, નીલગાય, કાળિયાર, ચિકારા, વરૃ, નાવર, રણ , લોકડી અને ઝરખ સહિતના પ્રાણીઓ વસવાટ કરે છે. આ સિવાય ફ્લેમિંગો, પેલિગન સફેદ અને ગુલાબી કલરના લેસર અને ગ્રેટર પક્ષીઓ સહિત વિદેશથી શિયાળો ગાળવા આવતા પક્ષીઓનો અનોખો મેળાવડો જામે છે.
કચ્છના નાના રણમાં પાંચ, છ વર્ષ અગાઉ યોજાયેલી પક્ષી ગણતરીમાં કુલ ૧૦૩ પ્રકારના ૯૯૭૪૦ પક્ષીઓ નોંધાયા હતા અને ગત વર્ષે ૨૦૧૯માં કરાયેલી પક્ષી ગણતરીમાં આ સંખ્યા ૩૫૦ ટકાના વધારા સાથે ૩૫૧૧૯૬ સુધી પહોંચી હતી. એ જ રીતે રણ સિવાય વિશ્વામા ંક્યાંય જોવા ન મળતા દુર્લભ ઘુડખરની સંખ્યા સને ૨૦૧૪માં ૪૪૫૧ નોંધાઈ હતી. જે તાજેતરમાં અભ્યારણ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડામાં સંખ્યા ૩૭ ટકાના વધારા સાથે ૬૦૮૨ એ પહોંચવા પામી છે. બીજી બાજુ રણની મુલાકાતે આવતા પ્રવાસીઓ અને વિદેશી પર્યટકોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. જેમાં કોરોના વાયરસે તો રણ પ્રવાસનની કમર જ તોડી નાખી છે. સને ૨૦૨૦માં એપ્રિલથી સપ્ટેમ્બર મહિનાના સમયગાળામાં અભ્યારણ્યની મુલાકાતમાં શૂન્ય પ્રવાસીઓ નોંધાયા છે. સાત મહિનાના લાંબા અંતરાલ બાદ આગામી ૧૬ ઓક્ટોબરથી કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન મુજબ ઘુડખર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવશે. જેમાં ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું ડીએફઓએ જણાવ્યું હતું.
વિશ્વમાં વિશિષ્ટ પ્રકારની ભૌગોલિક સંરચના ધરાવે છે
કચ્છનું નાનું રણ આખા વિશ્વમાં વિશિષ્ટ પ્રકારની ભૌગોલિક સંરચના ધરાવે છે. રણ વિસ્તાર, બેટ (પથ્થરવાળો વિસ્તાર) અને જળપ્લાવિત વિસ્તારો જેવી વિવિધ પ્રકારની સંરચના નાના રણમાં જોવા મળે છે. આજ રીતે દરિયાનો ખાડી વિસ્તાર પણ વિશિષ્ટ પ્રકારની જૈવિક વિવિધતા ધરાવે છે. કચ્છના નાના રણ વિસ્તારમાં ઘુસતા ઘુડખરની વિશિષ્ટ પ્રકારની પ્રજાતિ વિશ્વભરમાં ફક્ત આ વિસ્તારમાં જ જોવા મળે છે.
રણમાં આવતા વિદેશી પક્ષીઓમાં 350 ટકાનો વધારો નોંધાયો
કચ્છના નાના રણમાં પાંચ વર્ષ અગાઉ નોંધાયેલી પક્ષી ગણતરી અનુસાર વિદેશી નયનરમ્ય પક્ષીઓની સંખ્યામાં કુલ ૧૦૩ પ્રકારના ૯૯૭૪૦ પક્ષીઓ નોંધાયા હતા. જે ગત વર્ષે યોજાયેલી પક્ષી ગણતરીમાં આ સંખ્યા ૩૫૦ ટકાના વધારા સાથે ૩૫૧૧૯૬ સુધી પહોંચી હતી.
કચ્છના નાના રણમાં 33 જાતના વન્ય પ્રાણીઓ વસવાટ કરે છે
કચ્છના નાના રણમાં ઘુડખર ઉપરાંત ચિંકારા, (ઈંડિયન, ગેઝેલ), કાળીયાર(બ્લેક બક), નીલગાય (બ્લુ બુલ), જંગલી ડુક્કર, વરૃ, શિયાળ, જંગલી બિલાડી, ઝરખ, જબાદી બિલાડી, કિડીખાઉ (પેંગોલીન), કલગીવાળી શાહુડી, જર્બિલ જેવા અસંખ્ય પ્રાણીઓ વન્ય પ્રાણીઓ વસવાટ કરે છે.
ઘુડખરની વિશેષતા
રણની આગવી વિશિષ્ટતા ગણાતા અને રણનો પવનવેગી દોડવીર જાદુગર ગણાતા ઘુડખરની ઉંચાઈ સામાન્ય ૧૧૦થી ૧૨૦ સે.મી. અને લંબાઈ ૨૦૧ સે.મી. હોય છે. જ્યારે એનું વજન ૨૦૦થી ૨૫૦ કિગ્રા. અને આયુષ્ય ૨૦ વર્ષનું હોય છે. ૫૦ થી ૬૦ કિ.મી.ની ઝડપે દોડતા આ ઘુડખરને દોડતું જોવું એ જ જીવનનો એક લ્હાવા સમાન છે.
છેલ્લા પાંચ વર્ષમાં 1631 ઘુડખરનો વધારો થયો
રાજ્ય સરકાર દ્વારા કચ્છના નાના રણમાં દર પાંચ વર્ષે ઘુડખરની વસ્તી ગણતરી કરવામાં આવે છે. જેમાં અગાઉ પાંચ વર્ષ પહેલા વર્ષ ૨૦૧૪માં ઘુડખરની વસ્તી ગણતરી ૪૪૫૧ હતી. ત્યારે પાંચ વર્ષ બાદ તાજેતરમાં કરવામાં આવેલ ઘુડખરની વસ્તી ગણતરીમાં ૧૬૩૧ સંખ્યાના વધારા સાથે ૬૦૮૨ પહોંચી ગઈ છે. જેને લઈ ઘુડખરની વસ્તી ગણતરીમાં ૩૭ ટકાનો વધારો થયો છે.
ઘુડખરની સંખ્યામાં ૩૭ ટકા જેટલો વધારો થયો
વર્ષ સંખ્યા
૧૯૪૬ ૩૫૦૦
૧૯૬૦ ૨૦૦૦
૧૯૬૩ ૩૬૨
૧૯૭૬ ૭૨૦
૧૯૮૩ ૧૯૮૯
૧૯૯૦ ૨૦૭૫
૧૯૯૮ ૨૮૩૯
૨૦૦૪ ૩૮૬૩
૨૦૦૯ ૪૦૩૮
૨૦૧૪ ૪૪૫૧
૨૦૨૦ ૬૦૬૨
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34PweoX
0 Response to "બનાસકાંઠાઃઘુડખર અભ્યારણ્ય 7 માસ બાદ 16 ઓક્ટોમ્બરથી ખુલ્લું મુકાશે"
Post a Comment