
વડોદરા જિલ્લાના 487 તળાવોમાં મચ્છરોના પોરા ખાઈ જતી ગંબુશિયા માછલીઓ છોડવામાં આવી
વડોદરા, તા. 3 ઓક્ટોબર 2020 શનિવાર
વડોદરા જિલ્લાના આરોગ્ય તંત્રે ગ્રામ વિસ્તારોમાં મેલેરિયા ચિકનગુનિયા અને ડેન્ગ્યુ જેવા રોગોને અટકાવવા કામગીરી હાથ ધરી છે. તે માટે મચ્છરોની ઉત્પત્તિ રોકવા જિલ્લાના 577 તળાવમાં પોરા ભક્ષક ગંબુશિયા માછલી છોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં 487 તળાવોમાં માછલી છોડવાનું કામ પૂરું થઇ ગયું છે.
આગામી સપ્તાહમાં બાકી રહેલા તળાવમાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. એક માછલી એક દિવસમાં અંદાજે 250 પોરા ખાઈ જાય છે. હાલમાં જિલ્લાના ગ્રામ વિસ્તારોમાં કોરોના સંદર્ભે સર્વેલન્સ અને ધનવંતરી રથની કામગીરી દરમિયાન તાવના કેસોમાં લોહીના નમૂના ચકાસવાની તકેદારી લેવામાં આવી રહી છે.
લોહીનો નમૂનો લઈ તાત્કાલિક સ્થળ પર તપાસ કરી મચ્છરથી ફેલાતી વાહક જન્ય બીમારીઓ ફેલાય નહીં તે માટે નિદાન કરી સારવાર અપાય છે. કોરોનાની હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કામગીરી સાથે પોરા નાશક કામગીરી પણ કરવામાં આવે છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34kwHPV
0 Response to "વડોદરા જિલ્લાના 487 તળાવોમાં મચ્છરોના પોરા ખાઈ જતી ગંબુશિયા માછલીઓ છોડવામાં આવી"
Post a Comment