
કોરોના વોરીયર્સને શ્રદ્ધાંજલિ આપવા 18000 શબ્દોમાં પુસ્તક લખાયું
(પ્રતિનિધિ દ્વારા) સુરત,શનિવાર
સુરતના કોરોના વોરીયર્સની અથાગ મહેનત અને મક્કમ મનોબળને શ્રદ્ધાંજલિ આપવા 18000 શબ્દોમાં હસ્તલિખિત અને હસ્તચિત્રિત પુસ્તક લખવામાં આવ્યું છે. જેમાં 80 થી વધુ કોરોના વોરીયર્સની કોરોના સમયની સત્ય ઘટનાઓને આવરી લેવામાં આવી છે.
કોરોનાકાળમાં લોકડાઉન થી લઈને હજી સુધી વોરીયર્સ ખડે પગે સેવાઓ આપી રહ્યા છે. સમગ્ર દેશમાં કોરોના વોરીયર્સને અલગ અલગ રીતે તેઓની કામગીરી માટે સરાહવામાં આવ્યા છે અને તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે ત્યારે સુરતમાં પણ જીવન જોખમે પોતાની ફરજ બજાવનાર કોરોના વોરીયર્સ એવા ડોક્ટર, નર્સ,પોલીસકર્મી,સફાઈકામદારોને અનોખી શ્રદ્ધાંજલિ આપવા માટે 'અ ટ્રીબ્યુટ ટુ અનસીન કોરોના વોરિયર્સ'નામનું પુસ્તક લખાયું છે. આ પુસ્તકની ખાસિયત એ છે તે હાથથી લખાયું છે અને દરેક પાના પર શબ્દોને અનુરૂપ ચિત્રો પણ હાથથી જ દોરવામાં આવ્યા છે. યાજ્ઞિક કંઝારીયા,ડો.તૃપ્તિ ઉપાધ્યાય અને જયેશ પરમારે 90 દિવસમાં આ પુસ્તક લખ્યું છે. જેમાં કોરોના વોરીયર્સની 80 થી વધુ સત્ય ઘટનાઓને આવરી લેવાઈ છે. પુસ્તક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અપાશે. પુસ્તકની સ્કેન કોપી દરેક કોરોના વોરીયર્સને વિનામૂલ્યે અપાશે.
લેખક યાજ્ઞિકભાઈ એ કહ્યું કે, કોરોના વોરીયર્સની રૂબરૂ મુકલાત કરીને તેમની સત્યઘટનાઓ અને સંવેદનાઓને શબ્દો આપવાનો પ્રયાસ કર્યો છે. પુસ્તક લખવા પાછળનો મુખ્ય હેતુ દરેક કોરોના વોરીયર્સને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ મળે એ જ છે. જેથી આ કપરા સમયે પરિવારના બદલે ફરજને પ્રાથમિકતા આપનાર વોરીયર્સના બાળકો અને તેમની ભવિષ્યની દરેક પેઢીઓ વોરીયર્સના ઉમદા કાર્યને યાદ રાખી શકશે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3o35DOe
0 Response to "કોરોના વોરીયર્સને શ્રદ્ધાંજલિ આપવા 18000 શબ્દોમાં પુસ્તક લખાયું"
Post a Comment