અમદાવાદમાં વધુ 165 લોકો કોરોનાગ્રસ્ત થયા, ત્રણનાં મૃત્યુ

અમદાવાદમાં વધુ 165 લોકો કોરોનાગ્રસ્ત થયા, ત્રણનાં મૃત્યુ


અમદાવાદ, તા. 5 ઓક્ટોબર, 2020, સોમવાર

અમદાવાદમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે. ગયા મહીને 150ની અંદર દર્દીઓનો આંક રહેતો હતો તે હવે 170ની ઉપર રહેવા માંડયો છે. જોકે મૃત્યુઆંક જાદુઈ રીતે 3 ઉપર સ્થિર થઈ ગયો છે.

દરમ્યાનમાં આજે એક જ દિવસમાં નવા 165 કેસો સામે આવ્યા હોવાનું સરકારી યાદીમાં જણાવાયું છે. જ્યારે સારવાર દરમ્યાન ત્રણ દર્દીઓએ તેમના જીવ ગુમાવ્યા છે. બીજી તરફ સાજા થઈ ગયેલાં 248 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે.

મ્યુનિ. કોર્પોરેશનની હદમાં અત્યાર સુધીમાં કુલ કેસો 40377 નોંધાયા છે, જેમાંથી 1784 દર્દીઓના કરૂણ મૃત્યુ થયા છે. તેમજ કોરોનાને માત આપીને 30165 દર્દીઓ સાજા થઈને પોતપોતાને કામે લાગી ગયા છે. જેમને પણ કોરોના થાય છે, તે એક વખત ચોક્કસ કહે છે કે માસ્ક પહેરો, એકબીજા વચ્ચે સોશ્યલ ડિસ્ટન્સ જાળવો.

આ વાયરસને હળવાશથી લેવા જેવો નથી, બીજી તરફ છેલ્લાં પાંચેક દિવસથી ડિસ્ચાર્જ થતાં દર્દીઓનો આંકડો ઊંચો જતાં એક્ટિવ કેસો ઘટીને 3394 થઈ ગયા છે. જેમાં સૌથી વધુ પશ્ચિમ ઝોનના 615 છે, જ્યારે નવાપશ્ચિમના બન્ને ઝોનના 1094 સાથે પશ્ચિમપટ્ટાના એક્ટિવ કેસો 1709 થયા છે.

જ્યારે પૂર્વના મધ્યઝોન, દક્ષિણઝોન, ઉત્તર ઝોન, પૂર્વઝોન સાથે ચારેય ઝોનના સારવાર હેઠળના દર્દીઓનો આંકડો 1685નો થયો છે. ખાનગી હોસ્પિટલોના પ્રાઈવેટ બેડમાં 1356 દર્દીઓ દાખલ થયેલાં છે. જેમાંથી 212 આઈસીયુમાં છે, તેમજ 124 વેન્ટીલેટર ઉપર છે. લક્ષણો વગરના કે હળવા લક્ષણોવાળા દર્દીઓની સાથે ગંભીર પ્રકારના દર્દીઓ પણ વધતાં જાય છે.

બીજી તરફ નજીક આવી રહેલાં હિન્દુ ધર્મના સૌથી મોટા નવરાત્રિ અને દિવાળીના તહેવારો તેમજ ઠંડીની ઋતુ કોરોનાના સંક્રમણને વેગ આપશે તેમ આ ક્ષેત્રના જાણકારોનું કહેવું છે. બેવડી ઋતુમાં શરદી, ખાંસી, વાઇરલ ઇન્ફેકશન વધશે. ચિકનગુનિયા, ડેન્ગ્યૂ, મેલેરિયાના કેસો તો વધ્યા જ છે. ઉપરાંત ઠંડી વધુ પ્રમાણમાં પડવાની અને શિયાળો લંબાવાની થયેલી આગાહી જોખમી સાબિત થશે તેમ જણાય છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30DGgbw

0 Response to "અમદાવાદમાં વધુ 165 લોકો કોરોનાગ્રસ્ત થયા, ત્રણનાં મૃત્યુ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel