
ધોરણ 12 સામાન્ય પ્રવાહની પુરક પરીક્ષાનું પરિણામ 43.37%
અમદાવાદ, તા. 24 ઓક્ટોબર, 2020, શનિવાર
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા 29 સપ્ટેમ્બરના લેવાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પુરક પરીક્ષાનું આજે પરિણામ જાહેર થયું છે. જેમાં 44948 વિદ્યાર્થી પાસ થયા છે અને એકંદરે 43.37% પરિણામ રહ્યું છે.
આ વર્ષે પ્રથમવાર બે વિષયમાં નાપાસ માટે પુરક પરીક્ષા લેવાઇ હતી છતાં ગત વર્ષેથી 13.19% પરિણામ ઘટયું છે. કોરોનાને લીધે આ વર્ષે બોર્ડની પુરક પરીક્ષાઓ ઘણી મોડી લેવામાં આવી છ. તેમાં પણ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પુરક પરીક્ષામાં આ વર્ષે સરકારે એકને બદલે બે વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓને તક આપવાનો નિર્ણય કરતાં એક મહિનો મોડી ઓગસ્ટને બદલે સપ્ટેમ્બર અંતમાં પરીક્ષા લેવાઇ હતી.
પ્રથમવાર બે વિષયમાં પુરક પરીક્ષા થતાં બોર્ડ દ્વારા ફરીથી રજીસ્ટ્રેશન કરાવાયું હતું. જેના વિદ્યાર્થીઓ પણ વધુ નોંધાતા 122245 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કર્યું હતું. બે વિષયની પુરક પરીક્ષા હોવાથી બોર્ડે કોરોના વચ્ચે જુદા-જુદા સેશનમાં 6 ઓક્ટોબર સુધી પરીક્ષા લેવી પડી હતી.
વિવિધ વિષયમાં કુલ મળીને 103649 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. જેમાંથી 44948 વિદ્યાર્થી પાસ થતાં 43.37% પરિણામ રહ્યું છે. જેમાં સામાન્ય પ્રવાહમાં છોકરાઓમાં 66296માંથી 26020 પાસ થતાં 39.25% , છોકરીઓમાં 36483માંથી 15508 પાસ થતાં 50.73% પરિણામ રહ્યું છે. દિવ્યાંગ કેટેગરીમાં 20% ગ્રેસિંગ સાથે 118 વિદ્યાર્થીઓ પાસ થયા છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TjUydz
0 Response to "ધોરણ 12 સામાન્ય પ્રવાહની પુરક પરીક્ષાનું પરિણામ 43.37%"
Post a Comment