એમએસસીની 11 કોલેજોને મંજુરી કોરોનામાં 10 હજાર ફી ઘટાડાઈ

એમએસસીની 11 કોલેજોને મંજુરી કોરોનામાં 10 હજાર ફી ઘટાડાઈ

પાટણ,તા.21 ઓક્ટોબર 2020, બુધવાર

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણની કારોબારી સમિતિની બેઠક કુલપતિની અધ્યક્ષતામાં આજે મળી હતી. લાંબી ચાલેલી આ બેઠકમાં ચર્ચા વિચારણા બાદ કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા હતા. ખાસ કરીને યુનિવર્સિટીમાં ફીઝીકલ ડાયરેક્ટરની જગ્યા ભરવા માટે ગતરોજ યોજાયેલ ઈન્ટરવ્યું બાદ આજે કોને નિમણુંક અપાશે તેના પર સમગ્ર યુનિવર્સિટીની નજર મંડાયેલી હતી. પરંતુ ભરતી પ્રક્રિયામાં વિસંગતતા અને વિવાદ થવાની શક્યતાઓ ધ્યાને લઈને યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા ભવિષ્યમાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય નહી તે માટે નિમણૂંકને લગતું બંધ કવર બંધ જ રાખીને હાલ પુરતો કોઈ નિર્ણય નહી લઈને આ બાબતે રાજ્ય સરકાર પાસે માર્ગદર્શન લેવાનો નિર્ણય કરી રાજ્ય સરકાર સુચના આપે તે પ્રમાણે આગળની કાર્યવાહી કરવા કુલપતિને સત્તા આપતો નિર્ણય થયો હોવાનું જાણવા મળ્યું હતું.

યુનિવર્સિટીની કારોબારી સમિતિની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લેવાયા હતા. જેમાં યુનિવર્સિટી સંલગ્ન નવી ૧૧ જેટલી એમ.એસ.સી. કોલેજોને મંજુરી આપવામાં આવી હતા. ઉપરાંત આવી સેલ્ફ ફાયનાન્સ કોલેજોની ફી અગાઉ ૩૩૦૦૦ નક્કી કરવામાં આવી હતી. તેમાં પ્રવર્તમાન કોરોના મહામારીને અનુલક્ષીને ૨૨૫૦૦ ફી રાખવી એવું નક્કી કરાયું હતું.

આ ઉપરાંત આજની બેઠકમાં યુનિવર્સિટીમાં ફરજ બજાવતા સિક્યોરિટી સેવાના તમામ કર્મચારીઓના મહેનતાણામાં વધારો કરવામાં આવ્યો હતો. કર્મચારીઓની નોકરીના સમયગાળાને ધ્યાનમાં લઈને ત્રણ સ્ટેઝમાં રૃ.૫૦૦થી લઈને ૨૫૦૦ સુધીનો મહેનતાણુંમાં વધારો કરાયો હતો. વળી પરિક્ષાની કામગીરી દરમિયાન રાત્રે મોડા સુધી રોકાઈને કામગીરી બજાવનાર કર્મચારીઓને ૨૦૦૦ થી ૫૦૦૦ સુધીનું વિશેષ મહેનતાણું મંજુર કરાયું હતું.

કર્મચારીનું વીમા પ્રિમિયમ યુનિવર્સિટી ભરશે

આ ઉપરાંત પ્રધાનમંત્રી વીમા યોજના અંતર્ગત રૃ.૨ લાખના વિમાથી કર્મચારીઓને સુરક્ષિત કરીને યુનિવર્સિટી કર્મચારીઓ તેમજ કોન્ટ્રાક્ટર આધારિત ક્લાર્ક, પાટાવાળા, સ્વીપર, માળી સહિત તમામ કર્મચારીઓનો વીમો લેવાનો નિર્ણય કરાયો હતો. જેનું પ્રિમીયમ યુનિવર્સિટી ભરશે.

કારોબારીમાં લેવાયેલા નિર્ણયો

- એક્ઝીક્યુટીવ કાઉન્સીલ દ્વારા યુનિવર્સિટીમાં પીએચ.ડી. અભ્યાસક્રમમાં પ્રવેશ માટે પરીક્ષા લેવાનું નક્કી કરાયું હતું. જેના માટે ટુંક સમયમાં આપવામાં આવશે.

- કારોબારી સમિતિ દ્વારા યુનિવર્સિટી સંલગ્ન બેચરલ ઓફ વોકેશનલ પ્રોઝામ (બી.વોક.)ના અભ્યાસક્રમમાં નવી ૭ કોલેજોને મંજુરી અપાઈ હતી.

- ઉપરાંત યુનિવર્સિટી દ્વારા સરકારી અને ગ્રાન્ટ ઈન એઈડ કોલેજો પાસેથી અત્યાર સુધી લેવામાં આવતી કાયદા ફી હવેથી નહી લેવા નિર્ણય લેવાયો હતો.

- યુનિવર્સિટી દ્વારા આગામી સમયમાં સારી ક્વોલીટીની માર્કશીટ અને ડીગ્રી સર્ટી યુનિવર્સિટીમાં જ છાપવામાં આવનાર હોઈ આ માટે રૃ.૨૪ લાખના ખર્ચે નવું ઈન્જેક્ટ પ્રિન્ટર ખરીદવાના કામને મંજુર કરાયું હતું.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31xfDFT

0 Response to "એમએસસીની 11 કોલેજોને મંજુરી કોરોનામાં 10 હજાર ફી ઘટાડાઈ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel