
ધોરણ 1થી 8માં માસ પ્રમોશનની વિચારણા જ નથી : સરકાર
અમદાવાદ, તા. 18 ઓક્ટોબર, 2020, રવિવાર
કોરોનાને લીધે ગત શૈક્ષણિક વર્ષમાં વાર્ષિક પરીક્ષાઓ ન લઈ શકાતા સરકારે ધો.1થી9 અને 11માં માસ પ્રમોશન આપ્યુ હતુ ત્યારે હવે ચાલુ શૈક્ષણિક વર્ષમાં પણ પ્રાથમિક સ્કૂલો હજુ ક્યારે ખુલશે તે નક્કી ન હોઈ વાલી મંડળે ગ્રેસિંગ આપી ઉપર ચડાવવા માંગ કરી હતી.જેની સામે સરકારે સ્પષ્ટતા કરી છે કે માસ પ્રમોશનની હાલ કોઈ વિચારણા જ નથી.
ઓલ ગુજરાત વાલી મંડળે સરકારને લેખિત રજૂઆત કરી માસ પ્રમોશનની માંગણી કરી હતી.વાલી મંડળે રજૂઆત કરી હતી કે હજુ પણ સ્કૂલો ખુલવી અનિશ્ચિત છે અને પ્રાથમિકના ધોરણમાં તો રસી ન આવે ત્યાં સુધી સ્કૂલો ખુલે તેમ લાગતુ નથી ત્યારે ધો.1થી9માં પરીક્ષા મોકુફ રાખી તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવામા આવે.
આ મુદ્દે સોશિયલ મીડિયામાં વહેતી થયેલી ચર્ચા-સમાચારોને લઈને શિક્ષણ વિભાગે આજે સ્પષ્ટતા કરી છે કે ધો.1થી8માં માસ પ્રમોશનની હાલ કોઈ વિચારણા જ નથી.રાજ્ય સરકારની વિચારણા હેઠળ હાલ આવી કોઈ બાબત નથી.જેથી વાલીઓ ગેરમાર્ગે ન દોરાય.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Hi3U6A
0 Response to "ધોરણ 1થી 8માં માસ પ્રમોશનની વિચારણા જ નથી : સરકાર"
Post a Comment